Sunday, July 25, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૩

        આપણા મનનો આ અજીબ વિરોધાભાસ છે કે જીવન જો બહુ સરળ હોય, તો આપણને તેનો કંટાળો આવે છે. જીવન જો બહુ આકરું હોય, તો આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. આપણે સરળતામાં ઉબાઈ જઈએ છીએ, અને તકલીફોમાં થાકી જઈએ છીએ. સુખ આ બંને અંતિમો વચ્ચેના તંદુરસ્ત સંતુલનમાં છે. હકીકતમાં, જીવન સરળ કે આકરું બનવા માટે નથી. જીવન સામે આવતી ક્ષણોને જીવીને આગળ વધી જવા માટે છે. આપણે એ ક્ષણોને નિયંત્રિત કરવાનીકોશિશ કરીએ છીએ, એમાં મુસીબત થાય છે. આપણી માનસિક અને ભાવનાત્મક શાંતિમાં ખલેલ ન પાડે, તેવી તમામ ઉત્તેજનાઓ અને સંઘર્ષો જીવનને આનંદદાયક બનાવે છે. 

        આપણે તનાવ વગર જીવી ન શકીએ, પણ આપણે જ્યારે વ્યક્તિ કે વસ્તુને બદલે કોઈ લક્ષ્ય સાથે સુખને જોડીએ, તો તે સંઘર્ષ અર્થપૂર્ણ બને છે. સુખ હોય કે દુઃખ, એ જો અર્થપૂર્ણ ન હોય, તો આપણને બોરડમ આપે છે. જીવન જહાજ જેવું છે. એનું કામ તોફાની સમુદ્રમા ઉતરવાનું છે, કિનારે લાંગરેલું રહેવાનું નહીં. 

No comments:

Post a Comment