Saturday, June 5, 2021

વિરલ વિભૂતિઓ- છત્રપતિ શિવાજી મહારાજ

        ભારત એટલે વિરલ વિભૂતિઓની ધરણીધરા. આ ભૂમિની માટીમાં જ એવી સ્મૃતિ અને કાયાકલ્પ કરનારી શકિત છુપાયેલી છે. આ ધરતી પર તો જન્મ લેવા માટે પણ ઇશ્વરને માં ના ખોળે અવતાર લેવો પડે છે. શ્રીરામ ભગવાન ભગવાન શ્રીકૃષ્ણ અને વિશ્વામિત્ર, પરશુરામ જેવા મહાત્માઓને પણ એકવાર આ ધરતીની માયા લાગી ગઇ છે. એવી આ આપણી પવિત્રધરા વારંવાર દરેક કાળમાં કોઇને કોઇ બહારના આક્રમણકારીઓ વડે પીંખાતી રહી છે. દરેક વખતે કોઇને કોઇ વિરલ તારલાઓ આ માતૃભૂમિની રક્ષા કરવા માટે આવતા રહ્યા છે. આવા વિરલાઓમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજના પણ સમાવેશ થાય છે.

         ભારતીય રાજકીય ઇતિહાસનાં ઘડતરમાં પોતાનો મહ_વનો ભાગ ભજવનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયેલો. જન્મ સમયે મોગલ બાદશાહે પ્રપંચ ખેલીને જીજાબાઇ સહિત શિવાજીને શિવનેરીના કિલ્લામાંથી મોગલ છાવણીમાં રહેવા બોલાવ્યાં. આ બાબતની જાણ મોગલ સેનાના મરાઠા સરદાર જગદેવરાયને થવાથી તેમણે માતા-પુત્રને પાછા કોંકણા બોલાવી લીધા અને સલામત રાખ્યા. દાદા કોંડદેવ પાસેથી શિવાજીને રાજનીતિ અને રણસંગ્રામ ખેલવાની તાલીમ મળી હતી. એ પવિત્ર બ્રાહ્યણ દાદાજી શિવાજીને મુસ્લિમો સાથે વેર નહિ બાંધવા માટે સમજાવતા રહેતા.

         ગોવલકર સાવંત નામના મહાશય પાસે એક વિખ્યાત તલવાર હતી. જે મેળવવા માટે સરદારે શિવાજીને વાત કરી. પરંતુ શિવાજીએ કહ્યું કે કોઇ માનનીય વ્યકિતની પાસે પોતાની વ્હાલી વસ્તુ હોય અને તેની અભિલાષા વીર પુરુષોએ કયારેય કરવી જોઇએ નહિ, તેથી વેર બંધાય. આ વાત સાવંતના કાને પડતા તેણે સામેથી શિવાજી સમક્ષ મિત્રતાનો હાથ લંબાવતા તે તલવાર તેમને મોકલી આપી. એથી શિવાજીએ પ્રસન્ન થઇને શિરપાવ મોકલ્યો અને એને પોતાની નોકરીમાં પણ રાખ્યો.

         સને ૧૬૬૪ માં શિવાજીએ નાશિકની જાત્રા કરવાના બહાને સેના સાથે ગણદેવીમાં મુકામ કર્યો, ત્યારે સુરતવાસીઓ ગભરાઇ ગયા કે શિવાજી સુરતને પણ લુંટવાના હશે. શિવાજીએ બુરહાનપુરી ભાગોળે ઊતારો કર્યો અને પોતાના બે માણસો મોકલીને સંદેશો મોકલ્યો કે શહેરના સુબેદાર અને ત્રણ ધનાઢય વેપારીઓએ આવીને ખંડણીની રકમ ભરી જવી નહીં તો આખા શહેરને સળગાવી મૂકવામાં આવશે. પણ કોઇ જવાબ ન મળવાથી મહારાજના સૈનિકો શહેરમાં દાખલ થયા. ટોપગોળાનો મારે ચાલતો હતો પણ શિવાજી મહારાજતો તેની દરકાર પણ કરતા નહોતા. એનાથી શિવાજીને કોઇ નુકશાન થયું નહિ , પણ મરાઠાઓએ બીજા ચાર દિવસ સુધી શહેરમાં રહેલા વેપારીઓના ઘરને નિશાન બનાવીને લુંટતા રહ્યા અને ઘણું સળગાવી પણ નાખ્યું. સ્ામગ્ર શહેરમાં પારાવાર નુકશાન થયું હતું.

         શિવાજીના રાજકાળમાં મહારાષ્ટ્રમાં ભાગવત્ ધર્મનો સારો એવો પ્રચાર પણ થયો હતો. મહારાજ પોતે પણ નામદેવ, એકનાથ, સમર્થ રામદાસ, તુકારામ, જ્ઞાનદેવ પાસે જઈને સંતોના બોધ અમૃતનું પાન કરતા હતા. એકવાર શિવાજી મહારાજ રાત્રે લોહગાંવ જઇને તુકારામનું કિર્તન સાંભળતા હતા. મંગલાચરણ એવી રીતે થયું કે મહારાજ સ્તબ્ધ થઇ ગયા. શ્રોતાઓની સાથે પ્રેમ-પ્રવાહમાં ભાન ભૂલીને તેઓ વિઠ્ઠલનો નાદ રટવા લાગ્યા અને નાચવા માંડયા. પછી તુકારામે વૈરાગ્યવૃત્તિનું મહ_વ અને લક્ષણો કહ્યા જે સાંભળીને મહારાજની ચિત્તવૃતિમાં બદલાવ આવ્યો અને જંગલમાં જઇને તે આ બોધનું મનન કરવા લાગ્યા, આમ કરતા કરતા તેમનો રાજપાટમાં જીવ બહુ લાગતો નહિ. આ વાતની જાણ જીજાબાઇને થવાથી તે તુકારામને મળ્યા અને તુકારામ મહારાજના રાજધર્મ પરના બોધથી તેમણે રાજપાટ ફરીથી ઉજળો કર્યો.

     જે સમયગાળામાં રાજસ્થાન અને બીજા રજવાડાના રાજાઓ પોતાની કુંવરીઓ મોગલ શહેજાદાઓને પરણાવીને પોતાના રાજસિંહાસનો બચાવતા હતા ત્યારે પણ શિવાજી મહારાજે મોગલોની સામે નહીં ઝુકીને એક સ્વરાજયની સ્થાપના કરી હતી. આ સત્તા પોતાના અંગત સ્વાર્થ માટે નહોતી પણ આપણો દેશ પરસત્તા અને પરધર્મીઓના હાથમાં ન આવે એવા આશયથી કરી હતી. રાજયના સંચાલનમાં શિવાજીએ પોતાની નવીન દ્દષ્ટિથી એક લોકશાહીને સમાન રાજસત્તા બનાવી હતી.

No comments:

Post a Comment