Sunday, June 6, 2021

સર્જનયાત્રાનું મંથન-૬

 

આપણે સ્વભાવગત પક્ષપાતી છીએ. આપણે કોઈ નવી માહિતી કે વાતને આપણી અંદર અગાઉથી મોજુદ માન્યતાઓનાં ચશ્મામાંથી જોઈએ છીએ. આને કન્ફર્મેશન બાયસ કહે છે. આપણે એ જ વાતને સાચા માનીએ છીએ, જે આપણા પૂર્વગ્રહોને મળતી આવે. આપણા મગજનું આ ડિફોલ્ટ સેટિંગ છે. સોશ્યલ મીડિયાની સફળતાનું રહસ્ય આ કન્ફર્મેશન બાયસ છે. તેનાં અલગોરીધમ બનાવવામાં જ આવ્યાં છે એવી રીતે કે તમારી સામે એવું જ કન્ટેન્ટ આવે, જેના વિશે તમારામાં પહેલેથી પૂર્વગ્રહો મોજૂદ હોય. આને ઇકો-ચેમ્બર કહે છે. આપણને લાઈક-કૉમેન્ટ્સ-પોસ્ટ્સ મારફતે એવા જ અવાજો સંભળાય, જેમાં આપણા અવાજનો પડઘો હોય. સોશ્યલ મીડિયા આપણને પૂર્વગ્રહિત નથી બનાવતું. તે આપણા પૂર્વગ્રહોને વધુ તીવ્રતાથી બહાર લાવે છે. એટલા માટે બે વ્યક્તિ એકબીજા પર ઝનૂનથી 'હૂમલો' કરે, ત્યારે સરવાળે બંનેના પૂર્વગ્રહો ઔર મજબૂત થાય છે.


No comments:

Post a Comment