Friday, June 11, 2021

વિવેકાનંદની વાણી: મણકો-૬

 

        દેહમાં કશી તાકાત વિનાના, હદયમા કોઇ ઉત્સાહ વિનાના અને મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થના લોચા જેવા માણસો શું કરી શકવાના છે ? તેમનામાં મારે પ્રાણ પૂરવા છે. તેમનામાં ઉત્સાહ લાવીને મારે તેમને જીવંત કરવા છે. આ કાર્ય માટે મે મારુ સમગ્ર જીવન સમર્પિત કર્યુ છે. વૈદિક મંત્રોની તાકતથી હું તેમને જાગ્રત કરીશ અને તેમની પાસે ઉત્તિષ્ઠત જાગ્રતના અભય સંદેશની ઉદ્‌ઘોષણા કરાવવા માટે જ મેં જન્મ લીદ્યો છે.

         હું માનવજાતિનો એક નવો જ એવો વર્ગ ઊભો કરવા માંગું છું, જે અંત: કરણ પૂર્વક ઈશ્વરમાં માનતો હોય અને તેને દુનિયાની કશી કાંઈ પડી ના હોય. ભારતવર્ષની જનતાનો ઉદ્રાર કરવા માટેના કર્તવ્યમાં મન-પ્રાણને સમર્પિત કરી શકે તેવા યુવાનોની વચ્ચે જઇને કામ કરો અને તેમને જાગ્રત કરો. સંગઠિત કરો અને ત્યાગની ભાવનાથી પ્રેરાઇને આ કાર્ય કરવાનો સમગ્ર આદ્યાર ભારતના યુવાનો પર જ છે.

         આ યુવકોને સંગઠિત કરવા જ હું જન્મયો છું અને આટલું જ નહિં, પ્રત્યેક શહેરમાં પણ સેંકડો યુવાનો મારી સાથે જોડાવા માટે તૈયાર છે. ભારતમાં ગરીબ અને પદ દલિત લોકોના દ્રાર સુધી સુખ, નીતિ, ધર્મ, શિક્ષણ પહોંચાડવા માટે મારે તેમને જુવાળની માફક મોકલવા છે અને હું આ કરીને જ રહીશ.

         તમારુ ભાવિ ઘડવાનો આ જ એક ઉત્તમ સમય છે. જયારે તમે ઘસડાઇને મુડદાલ જેવા થઇ જશો ત્યારે કોઇ કામ કરી શકશો નહિં. યુવાનીની ખરી તાકાત અને તાજગી છે ત્યારે આ તમે સરળતાથી કરી શકશો. યુવાનો કામ કરવા લાગી જાઓ અને આળસ ખંખેરીને ઊભા થાઓ. આ જીવન ઘણું ટૂંકું છે ! તમારા લોકો માટે અને માનવજાતના કલ્યાણ માટે તમારી જાતનું બલિદાન આપવાનું કાર્ય જ મહાન છે.

No comments:

Post a Comment