· આપણે પ્રેમ, પ્રસંશા અને આશા વડે
જ જીવીએ છીએ. સાચી પ્રસંશા માનવનું ઉર્ધ્વગમન કરાવે છે.
· બાળકોને કેળવવા એ એક
કળા છે, જેટલો સમય એની પાછળ ગાળશો એટલા જ સારા ફળ તમે પામશો.
· માતૃભાષાના સુદઢ
પાયા પર વિશ્વની કોઇ પણ ભાષા શીખી શકાય છે.
· આ દુનિયામાં કોઇ
એવું કામ નથી જે વારંવારના પ્રયાસોથી સિધ્ધના થઇ શકે.
· સારા પુસ્તકો અને
મિત્રોનો સંગ આપણને ફાનસની જેમ પ્રજ્વલિત થઇને દિશા બતાવે છે અને હંમેશા સાથ
નિભાવે છે.
· શિક્ષકનું કામ અજવાળા કરવાનું છે. શિક્ષક એ ઘી છે, શિસ્તએ વાટ છે, નિશાળએ માટીનું કોડિયું છે.
· તમને જે કાંઇ બોધ
થાય છે, તે તમારા ભૂતકાળના અનુભવના આધારે હોય છે.
· સત્યથી જ શ્રધ્ધા
ઉપજે છે, નહિં કે માન્યતા.
· પ્રાર્થનાનો આધાર કરનાર પર છે, કોની કરો છો તે મહત્વનું નથી.
· એક હજાર કલાક લાંબુ
પ્રવચનએ એક દ્રષ્ટિની તોલે ન આવે અને એવી સો દ્રષ્ટિઓ એક મિનિટના મૌનના તોલે ન
આવે.
·
આ દુનિયામાંથી હું
માત્ર એક જ વાર પસાર થવાનો છું, તો લાવ જે સારા કામો કરવાના હોય તે અત્યારે જ કરી લઉં, કારણકે હું અહીં
બીજીવાર આવવાનો નથી
No comments:
Post a Comment