Tuesday, June 8, 2021

સર્જનની સરવાણી-૪૧


·    આપણે પ્રેમ, પ્રસંશા અને આશા વડે જ જીવીએ છીએ. સાચી પ્રસંશા માનવનું ઉર્ધ્વગમન કરાવે છે.

·   બાળકોને કેળવવા એ એક કળા છે, જેટલો સમય એની પાછળ ગાળશો એટલા જ સારા ફળ તમે પામશો.

·       માતૃભાષાના સુદઢ પાયા પર વિશ્વની કોઇ પણ ભાષા શીખી શકાય છે.

·       આ દુનિયામાં કોઇ એવું કામ નથી જે વારંવારના પ્રયાસોથી સિધ્ધના થઇ શકે.

·     સારા પુસ્તકો અને મિત્રોનો સંગ આપણને ફાનસની જેમ પ્રજ્વલિત થઇને દિશા બતાવે છે અને હંમેશા   સાથ નિભાવે છે.

·     શિક્ષકનું કામ અજવાળા કરવાનું છે. શિક્ષક એ ઘી છે, શિસ્તએ વાટ છે, નિશાળએ માટીનું કોડિયું છે. 

·      તમને જે કાંઇ બોધ થાય છે, તે તમારા ભૂતકાળના અનુભવના આધારે હોય છે.

·     સત્યથી જ શ્રધ્ધા ઉપજે છે, નહિં કે માન્યતા.

·     પ્રાર્થનાનો આધાર કરનાર પર છે, કોની કરો છો તે મહત્વનું નથી.

·    એક હજાર કલાક લાંબુ પ્રવચનએ એક દ્રષ્ટિની તોલે ન આવે અને એવી સો દ્રષ્ટિઓ એક મિનિટના મૌનના તોલે ન આવે.

·         આ દુનિયામાંથી હું માત્ર એક જ વાર પસાર થવાનો છું, તો લાવ જે સારા કામો કરવાના હોય તે અત્યારે જ કરી લઉં, કારણકે હું અહીં બીજીવાર આવવાનો નથી

No comments:

Post a Comment