Sunday, June 13, 2021

સર્જનયાત્રાનું મંથન-૭

        રશિયન તાનાશાહ સ્ટાલિને કહ્યું હતું કે, "વિચારો બંદૂક કરતાંય તાકાતવર હોય છે. અમે અમારા લોકોને બંદૂકો પકડવા દેતા નથી, તો પછી તેમને વિચારો કેવી રીતે કરવા દઈએ?" તાનાશાહોને સ્વતંત્ર વિચારશક્તિવાળા લોકો પસંદ નથી આવતા. તેમને સવાલો કરે, શંકા કરે તેવા લોકો નહીં, ઘેટાં જેવા બંધ મગજના અનુયાયીઓ ગમે છે. વિચાર કરી શકે તેવા લોકોમાં તેમને દુશ્મન નજર આવે છે. એટલા માટે તાનાશાહો માહિતીઓ, સમાચારો અને શિક્ષણ પર સૌથી પહેલો અંકુશ મૂકે છે. લોકોના માનસ પર કબ્જો કરવાનું તેનું પ્રાથમિક લક્ષ્ય હોય છે. તેનું હથિયાર ડર હોય છે. 

        વિરોધી વિચાર કરે તેને તે મૌન કરી દે છે. જ્યાં પણ જરા પણ ભિન્ન મત દેખાય, તો તેઓ તેને દુશ્મન બનાવી દે છે. તેનું નિશાન જનતા હોય છે જે વિચાર કરતાં ડરે. જે સ્વતંત્ર વિચાર કરે છે, તેનામાં પ્રામાણિકતા વધુ અને વફાદારી ઓછી હોય છે.  તાનાશાહને પ્રામાણિક નહીં, વફાદાર માણસો ગમતા હોય છે. 

No comments:

Post a Comment