Tuesday, January 5, 2021

સર્જનની સરવાણી-૧૯

સર્જનની સરવાણી અંતર્ગત ચાલો જઈએ કેળવણીની કેડીએ

         વારંવાર આપણી આસપાસ બાળકો અને યુવાનો ના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા વાલીઓ અને શિક્ષકો પણ જોવા મળે છે. તો અહીં કેટલાક વિચારો રજુ કરવા છે જે આપને ગમશે એવી આશા છે અને જો કોઈ વ્યક્તિ પોતાની જાતે અથવા પોતાની સંસ્થા દ્વારા આ અંગે ચિંતન કરે તો પણ સમાજમાં અર્થસભર પરિણામો લાવી શકાય છે.

# પ્રાર્થનાસભામાં પ્રાર્થનાનું મહત્વ અને સાચી સમજણ પણ આપવી જોઈએ. 

# નાનપણ થી જ પ્રાર્થનાની આદત પાડવી.

# પ્રાર્થનાસભામાં ધર્મના વિશિષ્ટ ગ્રંથોનું વાંચન અને પરિચય કરાવવો.

# જીવનમાં ચારિત્ર્ય નિર્માણ થાય તેવા પ્રસંગ કહેવા.

# શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ચાહવાનું મન થાય તેવું ઉત્તમ, પવિત્ર, ચારિત્ર્યશીલ વ્યક્તિત્વ કેળવવું.

# સારા ગ્રંથાલયોની અને પુસ્તકમેળાની મુલાકાત લઈ જીવનને એક ઊદેશય સાથે જોડવું. સારું વાંચન કરવું.

# સારા વક્તા, કવિઓ, લેખકોના કાર્યક્રમો માણવા.

# દાર વર્ષે નવી બુકો ખરીદવી અને વાંચવી તેમજ અન્યને વાંચવા આપવી.

# એક સારા શ્રોતા બનવાનો પ્રયત્ન કરવો.

# પોતાનાથી બનતા પ્રમાણમાં યથાશક્તિ આર્થિક અને શિક્ષણદાન નો સંકલ્પ કરીએ.

# જીવનની સંવેદના વહેતી રાખવી જોઈએ. 

# જીવનમાં નાની નાની ખુશીઓ માણતા રહેવું જોઈએ. 

# પારિવારીક સંબંધો મજબૂત બનાવવા માટે સમય પણ આપવો. 

# નવા અને નાન કર્યો ઉત્સાહ સાથે કરવા અને નાના બાળકોને પણ આ માટે તૈયાર કરવા. 

# નાના બાળકો અને યુવાનોની જિજ્ઞાસા જાગે તેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય. 

# જીવન પ્રત્યે હંમેશા હકારાત્મક અભિગમ રાખવો. 

# જીવનને આધ્યાત્મિક બનાવે એવા વિચારો કરવા અને એ માટે ધ્યાન અથવા મૌન પણ અપનાવી શકાય છે. 

# પરસ્પર સહકારની ભાવના સાથે પારિવારિક જીવનમાં સંવાદીતા સાધવાનો પ્રયાસ કરવો જોઈએ.

No comments:

Post a Comment