Monday, January 11, 2021

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ


જીવનકાળ: ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ થી ૪ જુલાઇ, ૧૯૦૨

સ્વામી વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત. તેઓ ૧૯મી સદીના સંત રામકૃષ્ણના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેઓ ``અમેરિકાના ભાઈઓ તથા બહેનો`` સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. 

વિવેકાનંદ વાણી :  માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે જ શિક્ષણ 

No comments:

Post a Comment