Sunday, January 29, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૧

            હેરી પોટરમાં, વિઝાર્ડ સ્કૂલનો હેડમાસ્ટર ડમ્બલડોર એક અંધારી ગલીમાંથી પસાર થાય છે, અને રસ્તામાં એક પછી લેમ્પોસ્ટ સળગાવતો જાય છે. એ ગલીના છેવાડે પહોંચ્યા પછી પાછું વળીને જુવે છે ત્યારે, તેને આખો રસ્તો ઝળહળતો નજર આવે છે. એ તેની પ્રગતિનો પ્રકાશ છે. જીવનનું પણ એવું છે. આપણે અનિશ્ચિતતાઓ અને અસુરક્ષતાઓની ગલીઓમાંથી પસાર થતા રહીએ છીએ. તેમાં સંતુલન જાળવી રાખવાનો ફાયદો ન તો તાત્કાલિક હોય છે, ન તો કાયમી. જીવનની ગલીઓનો અંધકાર તાબડતોબ અદ્રશ્ય નથી થતો. આપણે ધીરજપૂર્વક, ખંતપૂર્વક સકારાત્મક દિશામાં પ્રયાસો કરતા રહેવું પડે છે. આપણા દરેક પ્રયાસ લેમ્પોસ્ટ સળગાવા જેવા હોય છે. આપણે જ્યારે એક લેમ્પોસ્ટ સળગાવીએ ત્યારે જરા અંધારું ઓછું થાય. બીજો સળગાવીએ તો થોડો વધુ અજવાસ થાય છે. જીવનની ગલીઓ કેટલી અજવાળી થઈ, એ કોઈ અજ્ઞાત સમયે અને અજનબી ભવિષ્યમાં ખબર પડશે, ત્યાં સુધી આપણે પ્રયાસોનાં તેલ પૂરતા રહેવું પડે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment