ખુદના કે બીજાના, પૂર્વગ્રહો તોડવા કેમ અઘરા હોય છે? કારણ કે માણસનું મન નવી જાણકારી અનુસાર માન્યતાઓને બદલવાને બદલે જૂની માન્યતાઓને અનુરૂપ નવી જાણકારી મેળવે છે. તેને એસિમિલેશન (આત્મસાત)ની પ્રોસેસ કહે છે. આપણે એ જ નવી જાણકારી આત્મસાત કરીએ છીએ, જે આપણામાં પહેલેથી મોજુદ સમજણ અથવા અનુભવમાં ફિટ થતી હોય. તેનાથી વિરોધી જાણકારીને આપણે રિજેક્ટ કરીએ છીએ. એટલા માટે, કોઈ વ્યક્તિને દુનિયા ક્રૂર લાગતી હોય, તો તે ક્રુરતાનાં ઉદાહરણો જ એકઠાં કરશે, અને જેને દુનિયા ભલી નજર આવતી હશે, તે ભલાઈના પૂરાવા આપશે. ધાર્મિક અને રાજકીય વિચારધારાઓમાં એટલા માટે જ પૂર્વગ્રહો એકદમ સજ્જડ હોય છે. આ સબ્જેકટિવ થિન્કિંગમાંથી છુટવા માટે ગુણદોષ જોતા થાવ. સવાલો અને સંદેહ કરો: હું જે વિચારું છું તે સાચું છે? કે પછી હું મારી માન્યતાઓમાં લાગણીઓથી બંધાયેલો છું? "હું ખોટો હોઈ શકું," એવો સ્વીકાર કરો.
No comments:
Post a Comment