Sunday, December 25, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૬

 

*"પિતા જ્યારે બીજા પિતાઓનું ઉદાહરણ આપીને 'અમે તમને કેવી સુખ-સુવિધા અને વાતાવરણ આપ્યું છે તે જુઓ."* એવું કહેતાં રહે ત્યારે બાળકો લઘુતાગ્રંથિ અનુભવતાં હોય છે. ત્યારે શું કરવું જોઈયે.?

        પેરેન્ટ્સે ક્યારેય સરખામણી ન કરવી જોઈએ. તેનાથી બાળકોના આત્મવિશ્વાસને હાનિ પહોંચે છે, અને તેનામાં શરમની ભાવના વિકસે છે. જો કે, એ વાત પણ એટલી જ સાચી છે કે ઘણાં બધાં પેરેન્ટ્સ, એમની એન્ગઝાઇટીથી પ્રેરાઈને સરખામણી કરતાં રહે છે. બાળકો એમાં શું કરી શકે? વિચારવા જેવા 5 મુદ્દા...

1. પેરેન્ટ્સ સંતાનને સક્ષમ ગણે છે અને ઈચ્છે છે કે એ વધુ સારું પરફોર્મ કરે. એટલે તે સરખામણી કરીને તેને મોટિવેટ કરવા પ્રયાસ કરે છે. કોશિશ કરો કે તમે દરેક કામોમાં પ્રગતિ કરતા રહો. એથી પેરન્ટ્સનો વિશ્વાસ વધે અને સરખામણીની જરૂરિયાત ઘટે.

 2. સરખામણીથી હતોત્સાહ ન થાવ. પેરેન્ટ્સને તો બદલી શકાતા નથી, પણ આપણા રિએક્શનને તો બદલી શકાય છે. ઉલટાનું, પેરેન્ટ્સની અપેક્ષા કરતાં પણ તમે બહેતર છો એવું પુરવાર કરો.

3. પેરેન્ટ્સ મોટાભાગે સામાજીક પ્રેસરમાં આવીને સરખામણી કરતાં હોય છે. તમે સમાજની ચિંતા કર્યા વગર, અપેક્ષાનું ખુદનું લેવલ બનાવો અને તેને હાંસલ કરવાની કોશિશ કરો.

4. પેરેન્ટ્સ સાથે દલીલો ન કરો. તમે એવું પણ સ્વીકારો કે પેરેન્ટ્સની સરખામણીમાં કોઈક તો વજૂદ હશે. પેરેન્ટ્સ ટીકા કરે ત્યારે પોઝીટિવ અભિગમ અપનાવો. તમે નક્કર પરિણામથી સાબિત કરો કે તમે પણ બીજાં સંતાનો કરતાં બહેતર છો.

5. સારી અને શાંત ભાષામાં પેરેન્ટ્સને કહો કે બીજાં બાળકોનાં પેરેન્ટ્સ સરખામણી નથી કરતાં, તે નેગેટિવ ટીકા નથી કરતાં અને બાળકોને ખીલવા દેવા માટે મોકળું મેદાન આપે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment