Sunday, December 11, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૪

 

                "લોકો ખુદની પ્રશંસા તો કરે જ છે, પોતાનાં સંતાનોનાં પણ ખોબલા ખોબલા ભરીને વખાણ કેમ કરતા હશે?"

            પેરેન્ટ્સ બાળકોનાં વખાણ બે રીતે કરે છે; એક, તેમની સામે, તેમનો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવા માટે, અને બે, બીજા લોકોની સામે, ખુદનું આત્મસન્માન વધારવા માટે. આધુનિક ચાઈલ્ડ સાઈકોલોજીના અભ્યાસો કહે છે કે બાળકોની તારીફ કરવી એ સૌથી શ્રેષ્ઠ મોટિવેશન છે. બાળકોને તેનાથી સાબિતી મળે છે કે હું બરાબર કરી રહ્યું છું. નુકસાન ત્યારે થાય જ્યારે લાગણીમાં અંધ બનીને અતિપ્રશંસા થાય. પેરેન્ટ્સ બીજા લોકો પાસે તેમનાં બાળકોનાં વખાણ કરે એમાં કોમ્પિટિશનની ભાવના હોય છે. પેરેન્ટ્સ સબકોન્સિયસ સ્તરે સભાન હોય છે કે બીજાં પેરેન્ટ્સ તેમનાં સંતાનોને નીરખે છે અને સરખામણી કરે છે. એટલે બીજાં પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ તેમનાં બાળકો કેટલાં સરસ અને હોંશિયાર છે. તે કહેવાનું ચૂકતાં નથી. મનુષ્યો જન્મજાત કોમ્પિટિટિવ અને કમ્પેરેટિવ હોય છે. સ્ત્રીઓ જેમ "મેરી સાડી ઉસકી સાડી સે સફેદ" કરે, તેવું જ પેરેન્ટ્સ બાળકો માટે કરે. બીજું, બાળક પેરેન્ટ્સનું જ એક્સટેન્શન હોય છે. બાળકનાં વખાણમાં પણ ખુદનાં જ વખાણ હોય છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment