Sunday, January 15, 2023

સર્જનયાત્રાનું મંથન-૮૯


        "સંબંધોમાં ઓછો વધતો સ્વાર્થ માનવ સ્વભાવમાં સામાન્ય છે. પરંતુ તમારામાં લેવાની ભાવના ઓછી હોય ત્યારે સામેની વ્યક્તિમાં ભરપૂર સ્વાર્થ કેમ હોય? તેમને મિત્રતા પ્રત્યે થોડી પણ વફાદારીનો અહેસાસ કેમ નહીં હોય?"

પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં જ છે: સંબંધોમાં ઓછો વધતો સ્વાર્થ સામાન્ય છે. સ્વાર્થની જગ્યાએ સ્વહિત શબ્દ મુકો તો વધુ સ્પષ્ટ રીતે સમજાય. તમામ સંબંધોમાં કોઈને કોઈ હિત હોય છે. લોહીના સંબંધોમાં પણ હિત હોય છે અને સામાજિક કે કોમર્શિયલ સંબંધોમાં પણ હોય છે. હિત સંબંધનો પાયો છે. પ્રેમનું બીજું નામ જ હિત છે. વફાદારી પણ હિત આધારિત હોય છે. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે નિઃસ્વાર્થ ભાવે વફાદાર ન રહી શકો. કોઇ વફાદાર હોય ત્યારે તો આપણે નથી પૂછતા કે "તું કેમ વફાદાર છે?" તો પછી એ વફાદાર ના હોય ત્યારે આપણા ક્યાં હિતોનું નુકશાન થાય છે? આપણે આપણી અંદર ઝાંખીને જોવું જોઈએ કે કોઈ ચોક્કસ સંબંધને આપણે કેમ નિભાવીએ છીએ? એમાં આપણું કયું હિત છે? એ શક્ય નથી કે કોઈ હિત ન હોય છતાં એક સંબંધ ચાલતો હોય. સંબંધોની ખૂબસૂરતી પરસ્પરનાં હિતોથી જ આવે છે. જ્યારે આપણે આપણા સ્વાર્થને ઓળખી જઈએ તે પછી બીજાના સ્વાર્થને સમજવા આસાન થઈ જાય.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment