Sunday, January 22, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૦

અભિપ્રાય દરેકની પાસે હોય, પરંતુ દરેક અભિપ્રાય દ્રષ્ટિકોણ ના કહેવાય. બંનેમાં ફરક છે. અભિપ્રાય માન્યતા છે, જે સૌએ સ્વીકારી લેવાનો. દ્રષ્ટિકોણ વિચાર છે, જેની સૌ ચર્ચા કરી શકે.

પાણી ભરેલા કાચના ગ્લાસમાં ચમચીને બાજુમાંથી જુવો તો વાંકી નજર આવે. સામેથી જુવો તો સીધી દેખાય. 

હું જ્યાં ઉભો છું તે દ્રષ્ટિકોણ છે.

હું જે જોઉં છું તે અભિપ્રાય છે.

"બાજુમાંથી જોવું" અને "સામેથી જોવું" એ દ્રષ્ટિકોણ છે.

"ચમચી વાંકી છે" અને "ચમચી સીધી છે" તે અભિપ્રાય છે.

"ચમચીને આ રીતે પણ જોઈ શકાય" તે ચર્ચા છે.

"ચમચી આમ જ છે" તે માન્યતા છે. બે વ્યક્તિની "દ્રષ્ટિનો કોણ" સરખો હોય, પણ અભિપ્રાય અલગ હોઈ શકે.

દ્રષ્ટિકોણ પર વ્યક્તિની સામાજિક સ્થિતિ કેવી છે, તે શું કરે છે, ક્યા પ્રદેશનો, જાતિનો છે તેનો પ્રભાવ પડે. અભિપ્રાય પર વતેની માનસિક અવસ્થા, તેના પુર્વગ્રહો, પસંદ-નાપસંદ, જ્ઞાનનો પ્રભાવ પડે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment