Thursday, April 1, 2021

માતાપિતાને વાલી ક્યારે કહીશું....


           સમયની સાથે આવતા પરિવર્તનોમાં આજના બાળકો અને માતા-પિતા વચ્ચેના સંબંધોમાં પણ નવીન્યતા છલકાઈ રહી છે ત્યારે આજે વાત કરવી છે કે બાળકોની નજરે એમને કેવા માતા-પિતા ગમે. આપણને એમ થાય કે શું વાલી અને માતા-પિતા બંને અલગ અલગ હોતા હશે, તો હા મિત્રો આપ સાચું વિચારી રહ્યા છો. આપણા ઘરે જ્યારે બાળકોનો જન્મ થાય  એટલે આપણે માતા-પિતા તો બની જ જઈએ છીએ, પણ શું આપણે સાચા અર્થમાં એક ઉમદા હ્રદય ધરાવતા અને હેતાળ, સ્નેહસભર વાલી બની શકીએ છીએ? તો ચાલો સમજીએ કે આપણા બાળકો એક વાલી તરીકે આપણી પાસેથી કેવી અપેક્ષાઓ રાખતા હોય છે. 

♂વાલી એટ્લે જે બાળકને વ્હાલ પણ કરે અને સાથે વાણી તેમજ વર્તનમાં વિવેક રાખવાનું શીખવે.


♂વાલી એટ્લે એવા માતાપિતા કે જેઓ પોતાના આચરણ અને વ્યવહાર થકી બાળકને શીખવવા તત્પર રહે

.

♂વાલી એટ્લે જે કામ બાળક પાસે કરાવવાની ઇચ્છા હોય તે પહેલા પોતે કરે અને પછી બાળકને કહે કે હવે તને ગમે તો તું આ કામ કર.


♂વાલીને પોતાના સંતાનોની ક્ષમતાની જાણકારી હોય છે એટ્લે એ એમના બાળકો પાસે એમની ક્ષમતા કરતા વધારે અપેક્ષા ન રાખે.પણ તેને સતત પ્રોત્સાહન આપે અને પોતાનો પથ જાતે નક્કી કરવામાં મદદ કરે.


♂હું પોતે પણ એક વાલી તરીકે મારા સંતાનોને આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના સંસ્કારો આપવાનો આગ્રહ રાખીશ.


♂એક જાગ્રત વાલી તરીકે હું મારા સંતાનોને જીવનના વિવિધ આયામોને કંડારવા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તેવો પ્રયત્ન કરીશ.


♂વાલી એમને જ ગણી શકાય કે જેઓ પોતાના સંતાનોને ગુણવત્તાસભર સમય આપે,જે દરમિયાન એમનાં માટે પરિવાર અને બાળકો જ સર્વોપરી હોય, જે વર્તમાન સમયની આવશ્યક જરુરીયાત છે.


                                                                                                            🍁સર્જનાત્મક કરીયે એક વિચાર ..

No comments:

Post a Comment