Friday, April 9, 2021

વિરલ વિભૂત- ખલિલ જીબ્રાન

કેળવણીના આ મહાન યજ્ઞમાં થોડી આહુતિઓ આપવાના આશયથી શરૂ કરેલી આ સફરમાં આપણે આજે વાત કરવી છે ખલિલ જીબ્રાનને વિશે. આજની વાત માટે ખલીલ જિબ્રાનને પસંદ કર્યા છે. કારણકે આપણી ગુજરાતી ભાષામાં એમના વિશે બહું વધારે લખાયું નથી અને એવા અંદાજમાં પણ લખાયું નથી જેવા મિજાજના તેઓ સર્જક હતા. 

        ખલિલ જીબ્રાનની જો વાત કરવામાં આવે તો જીબ્રાન એમનું વાસ્તવિક નામ હતું. તેઓ ૬-જાન્યુઆરી ૧૮૮૩ ના રોજ લેબેનોન દેશના બથરી નામનાં નગરમાં એક સુખી સંપન્ન પરિવારમાં જન્મયાં હતા. માત્ર ૧૨ જ વર્ષના આયુષ્યમાં તેઓ તેમના પરિવારની સાથે બેલ્જીયમ, ફ્રાંસ, અમેરિકાનું ભ્રમણ કરતા કરતા ન્યુયોર્ક શહેરમાં સ્થાયી થયા હતા.

 ત્યાં તેમણે બાળકો માટેની પબ્લીક સ્કુલમાં અભ્યાસ કર્યો. તેઓ રાત્રિશાળામાં વાંચન માટે જતા અને આના લીધે તેમને વાંચનનો શોખ પણ વિકસ્યો હતો. તેમને ચિત્રકલાનો પણ ગજબનો શોખ હતો. તે ખુબ જ સુંદર ચિત્રો બનાવી જાણતા હતા. આ શોખને માટે તેમણે ફ્રાંસની ફાઇન આર્ટસ એકેડમીમાં મૂર્તિકળાની શિક્ષા લીધી હતી.

પેરિસથી પરત ફરીને તેઓ ન્યુયોર્કમાં નિવાસ કરવા લાગ્યા હતા અને તેમના પરિવાર પ્રેમને કારણે તેઓ એમની સાથે સમય વિતાવવા બોસ્ટન જતા રહેતા. ત્યાં પણ શાંતિથી ચિત્રકલામાં સમય વિતાવતા હતા. એમના જીવનમાં નાની ઉંમરમાં જ માતા અને બહેનોનાં મૃત્યું બાદ ખુબ જ કઠણાઇઓ પડી હતી અને એમનું આ દર્દ એમણે કવિતાના રૂપે બહાર કાઢયું અને ઉત્તમ રચનાઓ કરી હતી. એમણે એમની ચિત્રકળામાં પણ આ પ્રાકૃતિક અને સામાજીક વાતાવરણનો સંદેશ આપ્યો હતો.

 તેઓ એમના વિચારો અને સુભાષિતો જે કહેવતોના સ્વરૂપમાં ચિઠ્ઠીમાં જ લખીને આપતા હતા અને તેમના વિચારોને બે-ત્રણ લાઇનનાં નાના સૂત્ર તરીકે આપતા હતા. ભાષા પર એમનું ગજબનું પ્રભુત્વ હતું. એમની આ કળાને કારણે તેઓ ભારતના કવિવર રવિન્દ્રનાથ ટાગોર સમકક્ષના ગણાય છે.

 જીબ્રાનના ચિત્રોના પ્રદર્શનો પણ ઘણા દેશોમાં યોજાતા હતાં. તેમની લેખનકળા અદ્‌ભુત હતી અને એમની રચનાઓ પણ વિશ્વની ૨૨ ભાષાઓમાં પ્રકાશિત થઈ છે. તેઓ ઇસાઈ ધર્મનું પાલન કરતા હોવાં છતાં પણ પાદરીઓ વડે ફેલાતી અંધશ્રધ્ધાનો વિરોધ કરતા રહેતા. આવા જ કારણથી તેમને દેશનિકાલ આપી દેવાયો હતો. દેશનિકાલ બાદ પણ દેશભકિતના કારણે તે સતત લખતા રહેતા.

        આવા હતા આપણા ઉત્તમ કળાના ઊપાસક ખલિલ જીબ્રાન. માત્ર ૪૮ વર્ષની યુવાન વયમાં એમનું કાર અકસ્માતમાં અવસાન થયું ત્યારે એમની અવસાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘણા વર્ષો બાદ તેમનો દેહ તેમના પોતાના વતનમાં લાવીન કેથેડ્રલમાં દફનાવામાં આવ્યો હતો. એમની કેટલીક ઉમદા વાતો.. 

·          સત્ય જાણીતું હોવું જોઇએ અને કયારેક તે કહેવાવું પણ જોઇએ.

·          સાચું દાન તો એ છે કે જે તમારા ખપની જરૂરી વસ્તુઓ તમે આપી દો.

·          કેટલાક આનંદની ઇચ્છાએ મારા દુ:ખનો એક ભાગ છે.

·          જો તમારા હાથ પૈસાથી ભરેલા હોય તો એ ભગવાનની પૂજા માટે કેવી રીતે ઉઠી શકે ?

  • મિત્રતા હંમેશા એક મીઠી જવાબદારી છે, સ્વપરિપૂર્ણતાની તક નહીં

No comments:

Post a Comment