સનાતન સંસ્કૃતિના જનક એવાં ભારતની વિરલ વિભૂતિ સ્વામી વિવેકાનંદનું જીવન સદાય દરેક બાળકો, યુવાનો અને હર કોઈને પ્રેરણા આપે છે. એમના જીવનનાં દરેક પ્રસંગો આપણને ઉત્તમ શિખામણ આપી જાય છે. આવો જ એક નાનકડો પ્રસંગ જોઈએ. જે એમના શિક્ષણકાળ દરમિયાનનો છે.
એકવાર એવું બન્યું કે શાળામાં પરીક્ષાઓ શરુ થવાનો સમય ખૂબ જ નજીક આવી ગયો હતો અને એમની તૈયારીઓ હજુ બાકી હતી. નરેન્દ્રને ઇંગ્લેન્ડનો ઇતિહાસ આવડતો ન હતો. તેમણે ઇંગ્લેન્ડના ઇતિહાસ વિષેનું પુસ્તક જ હજુ સુધી વાંચ્યું પણ ન હતું.
અત્યાર સુધી એમણે ઇતિહાસ તરફ જરાપણ ધ્યાન આપ્યું ન હતું, એટલે હવે આ વિષય વાંચ્યા વિના ચાલે તેમ ન હતું. આખરે એક દિવસ નરેન્દ્રએ દ્રઢ નિશ્વય કર્યો કે કોઈપણ સંજોગોમાં આ વિષયને વાંચવો જ પડશે અને તેના વિના ચાલે એમન નથી. આખરે એક દિવસ ઊંડા નિર્ધાર સાથે તેઓ માંમાંના ઘરમાં એક એકાંતવાળો ઓરડો હતો, જેનું પ્રવેશદ્વાર ખૂબ હ સાંકડું હતું. એક માણસ ખૂબ જ મુશ્કેલીથી તેમાં પ્રવેશી શકે એટલી જગ્યા હતી.
એટલે વિવેકાનંદ પોતાની ઇતિહાસનું પુસ્તક લઈને એ એકાંત ઓરડીમાં બેસી ગયા. એક દિવસ, બે દિવસ એમ ગણતાં ગણતાં પૂરા ત્રણ દિવસ સુધી નાનકડા નરેન્દ્રએ ઇંગ્લેન્ડનો ઇતિહાસ વાંચ્યો અને પૂર્ણ કર્યો. આ કાર્ય પૂર્ણ કરીને જ તેઓ ત્યાંથી બહાર આવ્યા. હવે એમને નાપાસ થવાની કોઈ જ ચિંતા નહોતી. આવો પ્રસંગ આપણા દરેક બાળકો અને યુવાનો માટે દ્રઢ વિશ્વાસ અને અકળ નિર્ધારનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા આપણા વિવેકાનંદ સાચા અર્થમાં દરેક વ્યક્તિ માટે પ્રેરણાની મૂર્તિ સમાન હતા.
No comments:
Post a Comment