Sunday, October 2, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૫

 

    વ્યગ્રતા (ઍંગ્ઝાયટિ) ત્યારે આવે જ્યારે મનની અભિવ્યક્તિ અને એક્શનના રસ્તા બંધ હોય. આપણને જ્યારે કોઈક બાબત કોરી ખાતી હોય અને આપણે એમાં કશું જ કરી ન શકીએ, ત્યારે તે ઍંગ્ઝાયટિમાં તબદીલ થઈ જાય. સાધારણ માણસોની સરખામણીમાં લેખકો અને કલાકારો તેમની ઍંગ્ઝાયટિને વધુ સારી રીતે પ્રોસેસ એટલા માટે કરી શકે છે કેમ કે તેમની પાસે સાર્થક અભિવ્યક્તિના ઉપાયો છે. આપણે કોઇપણ રીતે, લખી-બોલીને કે કશું કામ કરીને, જો મનને પ્રોડકટિવ બનાવીએ તો ઍંગ્ઝાયટિની તીવ્રતા ઘટી જાય છે. ઍંગ્ઝાયટિ એ મનનું ઓવરથિન્કિંગ છે. એ ઉર્જાને જો કોઈ કામમાં વાળવામાં આવે તો મન પાસે વિચારો કર્યા કરવાની નવરાશ નથી હોતી. એટલા માટે એક ખેડૂત કે મોચીને ઍંગ્ઝાયટિ જેટલી નથી સતાવતી તેટલી સુખી લોકોને સતાવે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment