માણસો વિચારો કરીને પરેશાન રહે છે તેનું કારણ એ છે કે તેમનું મન પરસ્પર વિરોધી વિચારોને પ્રોસેસ નથી કરી શકતું. સામાન્ય રીતે, મનની અસલી પ્રકૃતિ દ્વૈત (સારું અને ખરાબ)ની છે. આપણે કોન્સિયસ સ્તરે અને અનકોન્સિયસ સ્તરે જુદી અને ક્યારેક વિરોધી રીતે વિચારીએ છીએ. આપણે જ્યારે એ વિરોધીતામાંથી કોઈ એકને પસંદ કરવા માટે બીજાનો ઇન્કાર કરીએ છીએ ત્યારે વૈચારિક સંઘર્ષ સર્જાય છે. દાખલા તરીકે, તમે મૂર્તિપૂજામાં નથી માનતા પરંતુ પરિવારના બીજા લોકો માટે થઈને તમારે કોઈ વિધિ કરવી પડે, તો તમને આકરું લાગવા માંડે છે. આપણે રોજ અનેક વિસંગત વિચારોનો સામનો કરતા હોઈએ છે. આપણા બુનિયાદી મૂલ્યોને સાચવી રાખીને આપણે જો વિરોધાભાસોને પ્રોસેસ કરી શકીએ તો પરેશાની ઓછી થાય છે. આપણી ઉર્જા વિચારોમાં નહીં, આ સંઘર્ષમાં ખર્ચાય છે એટલે તે સ્ટ્રેસ પેદા કરે છે. ડાહ્યો માણસ બે પરસ્પર વિરોધી સત્ય વચ્ચે સંતુલન જાળવી રાખીને પોતાને ગબડી જવા ન દે.
(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)
No comments:
Post a Comment