Sunday, October 23, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૮

 

        કલ્પનાશીલતા અને સર્જનશીલતામાં ફરક છે. કલ્પના એટલે વિચાર, અને સર્જન એટલે તે વિચારનો અમલ. સર્જન અનુશાસન છે, પ્રેરણા નહીં. બહુ લોકોને બહુ ખયાલો આવે, પણ એને સાકાર બહુ ઓછા કરતા હોય છે. કલ્પનાશીલતા એટલે માટીનો લોંદો. સર્જનશીલતા એટલે તેને આકાર આપવો તે. ઘણાં પ્રાણીમાં કલ્પનાશક્તિ હોય છે. અભ્યાસમાં પુરવાર થયું છે કે કૂતરાંને પણ સપનાં આવે છે, પરંતુ માત્ર માણસો જ તેમનાં સપનાં પર આચરણ કરી શકે છે, કારણ કે માત્ર માણસમાં સર્જનની ક્ષમતા છે. એટલા માટે માણસોની સર્જનશીલતાને ક્રિએટિવ ઈમેજીનેશ અથવા ક્રિએટિવ આર્ટ કહેવાય છે. જે કલ્પના બીજી વ્યક્તિના જીવન સુધી પહોંચીને ઉપયોગી ના નીવડે, તેને ખુદના મનનો તુક્કો કહેવાય, સર્જન નહીં. સાધારણ લાગતી કલ્પના પણ તેના ઉત્તમ અમલથી અદભૂત સાબિત થાય, અને શાનદાર કલ્પના તેના અમલ વગર તરંગ જ કહેવાય.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment