Sunday, October 16, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૭

 

        બૌદ્ધિક એટલે જે બુદ્ધિ, વિવેક અથવા તર્કશક્તિનો ઉપયોગ કરે છે તે, પરંતુ એવી કઇ વ્યક્તિ હોય જે બુદ્ધિનો ઉપયોગ ના કરતી હોય? તમામ વ્યક્તિ વધતા ઓછા અંશે બૌદ્ધિક ના કહેવાય? અસલમાં બૌદ્ધિક એટલે જેનામાં જિજ્ઞાસા હોય, જેને જીવન વિશે અને જીવન સાથે સંકળાયેલી બાબતો વિશે પ્રશ્નો થાય, જેનામાં દરેક બાબત (રિપીટ- દરેક બાબત)ને સમજવાની ધગશ હોય, સાધારણ લોકો જેની ઉપેક્ષા કરે તેવી જટિલ બાબતોને જે બોધગમ્ય બનાવે, જે સમસ્યાઓનાં સમાધાન શોધે,જે પોતાની અને બીજાઓની અજ્ઞાનતાથી સભાન હોય અને તેને દૂર કરવા નિયમિત પ્રયાસ કરે તેને બૌદ્ધિક કહેવાય. 

        બૌદ્ધિક એટલે એક એવો સ્પાર્ક, જે અચાનક દેખા દે અને આપણને ચકાચાંધ કરીને ઠરી ન જાય, પણ જે સૂરજની માફક સતત સળગતો રહીને આપણને ઉજાશ અને ઉષ્મા આપ્યા કરે. બૌદ્ધિક એક મેરેથોન રનરની માફક લાંબા અંતર સુધી ટકી રહે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment