Sunday, September 25, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૪


        મોટાભાગના વાચકો પુસ્તક વાંચતી વખતે લેખકના લખાણને નહીં, પોતાના અર્થઘટનને વાંચે છે, અને તે પ્રોસેસમાં અસલ લખાણનો ઉદેશ્ય ખોવાઈ જાય છે. આપણું મન સતત અર્થઘટન કરતું હોય છે; આ બરાબર છે, આ બરાબર નથી. આ આવું નહીં, પણ તેવું હોવું જોઈએ. હું સહમત છું, હું સહમત નથી. આપણે એ જ 'વાંચીએ' છીએ, જે આપણી અંદર અગાઉથી મોજૂદ છે. આપણે આપણને જ વાંચીએ છીએ. શ્રેષ્ઠ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment