Monday, September 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૨

         

        બે દુઃખી બે વ્યક્તિઓ ભેગી થાય, તો તે એકબીજાને દુઃખી કરે, કારણ કે બંને એકબીજામાં 'પોતાનું' સુખ શોધતી હોય છે. બે વ્યક્તિઓ જ્યારે પોતાનાં સુખની તલાશ કરતી હોય, ત્યારે તે સંઘર્ષ પેદા કરે, કારણ કે તેમનું ફોકસ પોતાના પર હોય, સામેની વ્યક્તિ પર નહીં. સુખી વ્યક્તિઓ સંબંધ કેળવે ત્યારે તે એકબીજાને સુખ આપે, કારણ કે તેમનું ફોકસ 'પોતાનું' સુખ મેળવવા પર નહીં, પોતાની પાસે જે સુખ છે તે 'બીજી' વ્યક્તિને વહેંચવા પર હોય. સંબંધોમાંથી સુખ મળે છે તે વાત મિથ છે. કોઈ કોઈને સુખી ન કરી શકે, જો તે સ્વતંત્ર રીતે સુખી ન હોય. 

       સંબંધમાં આપણે એ જ ઓફર કરીએ છીએ, જે આપણી પાસે હોય છે. વિમાનમાં ઇમરજન્સીમાં સહપ્રવાસીનો જીવ બચાવતા પહેલાં ઓકિસજન માસ્ક પહેરી લેવો. કેમ? તમે જીવતા હશો તો મદદ કરી શકશો ને! એટલે પહેલાં ખૂદનો જીવ બચાવો. સુખ પણ ઓકિસજન માસ્ક જ છે. પહેલાં જાતે પહેરવો પડે.

No comments:

Post a Comment