Sunday, September 18, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૩

 વહેલાં શીખવા જેવી સાત બાબતો....

1. આપણે જેટલું ધારીએ છીએ એટલું લોકો આપણા વિશે નથી વિચારતા.

2. દોષારોપણ સૌથી વ્યર્થ પ્રવૃત્તિ છે. 

3. આપણા વિચારોની ગુણવત્તા પરથી જીવનની ગુણવત્તા નક્કી થાય છે. 

4. જે ચીજ સાર્થક છે તે સરળ નથી, અને જે સરળ છે તે સાર્થક નથી. 

5. આપણને એટલા જ પ્રમાણમાં પ્રેમ મળે, જેટલા પ્રમાણમાં કષ્ટ સહન કરવાની તૈયારી હોય. 

6. આપણે ખુદનું જેટલું સન્માન કરીએ, લોકો એટલું જ સન્માન આપણને આપે.

7. અભિપ્રાય બાંધવામાં ઉતાવળ ન કરવી. દરેક વ્યક્તિ તેની સમજણ પ્રમાણે બનતા પ્રયાસ કરે છે.


(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓ માંથી સાભાર)

No comments:

Post a Comment