Sunday, September 12, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૦

પુસ્તકો વાંચવાથી હોંશિયાર થવાય છે એમ નહીં, પુસ્તકો વાંચવાથી બેવકૂફી થોડી ઓછી થાય છે. બુનિયાદી રૂપે, આપણે આપણા જીવનની એક યા બીજી બાબતમાં બેવકૂફ રહી જ જઈએ છે. જેનામાં સહેજ પણ બેવકૂફી ના હોય, તેવી વ્યક્તિ શક્ય નથી. સૌથી હોંશિયાર લોકોને હકીકતમાં એ  ખબર પડી ગઈ હોય છે કે બેવકૂફી કેવી રીતે ઓછી કરાય.શીખવાની આપણી બધી કોશિશો બેવકૂફીઓને ઓછી કરવા માટે હોય છે. આપણે જેટલા હોંશિયાર થઈએ છીએ, તેટલા જ પ્રમાણમાં આપણી બેવકૂફી ઘટે છે.

No comments:

Post a Comment