Sunday, September 5, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૯

આપણે કોઈ વ્યક્તિને એ જેવી છે તેવી નથી ધારતા. આપણે તેને આપણી જરૂરિયાત પ્રમાણે ધારીએ છીએ. આપણું મન પોતાને અનુકૂળ હોય તે રીતે વાસ્તવિકતાનું એડિટિંગ કરે છે. એટલે કોઈ વ્યક્તિ આપણાને ગમતી હોય, તો આપણે તેની ત્રુટીઓ કે નકારાત્મક બાબતોને જોવાનું ટાળીએ છીએ, અને તેની સારી બાબતો પર ફોકસ કરીએ છીએ. તે જો ન ગમતી હોય, તો તેની ત્રુટીઓ મોટી થઈ જાય છે. એટલે અજાણી વ્યક્તિથી આકર્ષાઈ જવાનું સરળ હોય છે. સંબંધોમાં તટસ્થ રહેવું દુર્લભ હોય છે, અને એ જ ગુણ કેળવવા જેવો છે. બાકી, કોઈ વ્યક્તિને સારી કહેવી કે ખરાબ કહેવી, એમાં કોઈ બુદ્ધિનું કામ નથી.

No comments:

Post a Comment