Sunday, September 19, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૧

         

        ખિન્ન રહેતા લોકોએ તેમની વાસ્તવિકતામાંથી ધ્યાન હટાવવા માટે બીજા લોકોની મજાક કરવી જરૂરી થઈ જાય છે. સતત લોકોની મજાક કરવાની આદત મનોરંજન માટે નથી, એ બીજાને દુઃખી કરવા માટે છે. એક બહુ જાણીતી વાત છે કે હું જો ખુશ હોઉં, તો મારી આજુબાજુના લોકો પણ ખુશ હોય. એટલે હું જો દુઃખી હોઉં, તો બીજા લોકોને હું દુઃખી કરું. બીજાને દુઃખી કરીને જ હું સારું મહેસુસ કરી શકું: "બીજા પણ મારી જેમ દુઃખી છે." 

        તેઓ તેમના સ્ટેટસને લઈને એટલી ન્યૂનતા અનુભવતા હોય કે તેમની સાથે જે થયું હોય, તેનું નિયમિત માહિમામંડન કરે (તેઓ 'હું'નો બહુ ઉપયોગ કરે), અને બીજું, તેમની ન્યૂનતાની લાગણીથી બચવા માટે તેઓ બીજાઓમાં ત્રુટીઓ શોધીને સાબિત કરે કે બીજા લોકો પણ તેમનાથી બહેતર નથી. સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગ, કટાક્ષ, તું તું મૈં મૈં, અને સેલ્ફ-ગ્લોરીફિકેશનની જે ભરમાર છે, તેની પાછળ મૂળમાં આ માનસિકતા કામ કરે છે.

No comments:

Post a Comment