વિચારોનું કરીએ વાવેતર....................
૨. બાળકોને શાબાશી અને પ્રોત્સાહન મળવાથી એમનું
જીવન પાંગરે છે.
૩. કેળવણી દ્વારા બાળકોનો પોતાના ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ વધવો જોઇએ.
૪. દરેક બાળક સહનશીલ, પ્રસન્નચિત્ત, ખેલદિલ, સત્યવકતા, સ્વસ્થ, વિનમ્ર બને એ જોવાની જવાબદારી આપણા સૌ કોઇની છે.
૫. બાળકની સાથે બાળક જેવા થઇએ તો તેની સાથે
આત્મીયતા સાધી શકાય છે.
૬. બાળકને પ્રેરણા, પ્રેમ અને પ્રોત્સાહન આપવાથી તેની સર્જનશકિતઓ
ખીલે છે.
૭. બાળકનું પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં થવાથી બાળક પોતાની સંસ્કૃતિને યોગ્ય રીતે સમજી શકશે, અને એનામાં સાચા સંસ્કારોનું સિંચન કરી શકાય છે.
૮. બાળકો રાષ્ટ્રની સાચી સંપત્તિ છે, જેમના પર દેશના
ભવિષ્યનો આધાર છે.
૯. કેળવણી એટલે મુક્તિ, આર્ષદર્શન, સ્વયંપ્રેરણા, નિત્ય નવું સર્જન
અને સાહસ.
૧૦. પ્રાર્થના મનુષ્યની શક્તિને પરમાત્માના
સામર્થ્ય સાથે જોડનારી કડી છે.
૧૧. માનવ-પ્રતિભાના સર્વદેશીય વિકાસની
પ્રક્રિયાને શિક્ષણ કહેવાય.
૧૨. મનુષ્યના ભવિષ્યનો આધાર આજની પેઢીના
હકારાત્મક અભિગમ ઉપર રહેલો છે.
૧૩. ઉર્જા અને ઉંમર હોય ત્યારે જ વધારેમાં વધારે
કામ કરી લેવું જોઇએ.
૧૪. જેને સમયની કોઇ કિંમત નથી, એના માટે જિંદગીની
પણ કોઇ કિંમત નથી.
૧૫. સમજણનો સેતુ એ જ ખરો સેતુ, બાકીના બધા તો રાહુ
અને કેતું.