Tuesday, September 22, 2020

સર્જનની સરવાણી-૪

      આપણે ઘણીવાર વાતો કરતાં હોઈએ છીએ કે ગામડાઓમાં હજુ પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત છે. ત્યાં આજે પણ ઉત્સવો એટલા જ આનંદ અને ઉત્સાહથી હળીમળીને ઉજવવામાં આવે છે. એકબીજા માટે પ્રેમ, લાગણી અને સમજણભરી સમવાદિતા આજે પણ એટલી જ પ્રસ્તૂત છે. જીવનમાં આવતા ઉતાર-ચઢાવમાં દરેક ગ્રામજનો સાથે જોવા મળે છે અને એકબીજાને હૂંફ આપતા હોય છે. કેવી રીતે વડીલો પાસેથી આ સંસ્કારો બાળકોમાં પણ આવતા હોય છે જોઈએ આ નાનકડી વાર્તામાં, 

        એકવાર એક ગામમાં રહેતા એક દાદીમાં નું મરણ થયું હતું. ઘણા લોકો તેમના ઘરે આવીને દાદાને સાંત્વના આપતા હતા અને દાદા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા. એવામાં એકવાર તેમના પાડોશમાં રહેતા એક પરિવાર માંથી એક નાનકડા છોકરાએ પણ દાદા પાસે જવા માટે એની માં પાસે.  રજા માંગી.

       એ છોકરાની માં એ રાજી થઈને રજા આપી. ત્યાર પછી એ છોકરો દાદા પાસે આવ્યો અને એમના ખોળામાં બેસી ગયો અને રડવા લાગ્યો. થોડીવાર બાદ એ પોતાના ઘરે પરત આવ્યો ત્યારે એની માં એ પૂછ્યું કે તે ત્યાં જઈને શું ક્હ્યું? 

       છોકરા એ ક્હ્યું કાંઈ પણ નહીં. હું ત્યાં જઈને દાદા ના ખોળામાં બેસી ગયો અને રડવા લાગ્યો. આ સાંભળીને દાદા પણ એ દીકરાની સાથે રડ્યા અને પોતાનું હૈયું ઠાલવ્યું. આ જોઈને ત્યાં બેઠેલા તમામ લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા. પોતાના વ્હાલા બાળકની આ વાત સાંભળીને માં ની આંખમાં પણ શ્રાવણ ભાદરવો વરસ્યો. 

સર્જનવાણી : મિત્રો આ પણ એક પ્રેમ જ છે કે તમે કોઈને હૃદય હળવું કરવા માટે મદદ કરો. !!!!

2 comments: