Tuesday, February 9, 2021

સર્જનની સરવાણી-૨૪

 

  • આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું, તેથી જો કશી મમતા બતાવી શકું તેમ હોઉં કે કોઇ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ અત્યારે જ કરી લઉં, કારણકે હું બીજીવાર અહીંથી નીકળવાનો નથી.
  • આપણી જાતને પ્રમાણિક બનાવીએ એટલે જગતમાંથી એક બદમાશ તો ઓછો થયો હોય તેની ખાતરી સાંપડે.
  • આપણે કેટલું અલ્પ જાણીએ છીએ તે જાણતા પહેલાં પણ આપણે કેટલું બધું જાણવું પડે છે.
  • આ પળોનો ખ્યાલ રાખજો ; યુગ તો એનું સંભાળી લેશે.
  • આ પૃથ્વી આપણા વડવાઓ આપણે માટે મૂકતા ગયા નથી, પરંતુ આપણા સંતાનો પાસેથી તે આપણે ઉછીની લીધી છે એમ સમજીને તેની સંપત્તિનો ઉપયોગ કરજો.
  • ઉપકારનો બદલો વાળી દેવાની અતિ ઉતાવળ એટલે કૃતજ્ઞતાનો એક જાતનો અભાવ.
  • ઉપવાસ સહેલો છે, પરંતુ સંયમપૂર્વકનો આહાર અઘરો છે અને મૌન સહેલું છે, પરંતું સંયમપૂર્વક બોલવું અઘરું છે.
  • એક મહાપુરુષ એવો હોય છે કે જે દરેક માણસને તેની લઘુતાનું ભાન કરાવે છે, પરંતુ સાચો મહાપુરુષ તો એ છે કે જે દરેક માણસને તેની મહત્તનું ભાન કરાવે છે.
  • ઘણીવાર આપણે તો વિચારો કરવાનું કષ્ટ વેઠયા વિના જ અભિપ્રાયો ધરાવવાની સાહ્યબી ભોગવતા હોઇએ છીએ.
  • પ્રકાશ ફેલાવવાના બે રસ્તા છે : મીણબત્તી બનવું અથવા તો એનું પ્રતિબિંબ પાડનાર આરસી બનવું.

No comments:

Post a Comment