Thursday, February 11, 2021

વિવેકાનંદની વાણી-મણકો-૨

સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિધાર્થીઓને એક સવાલ કર્યો કે આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમકૃપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ? બધા જ વિધાર્થીઓ વિચારમાં પડી ગયા. એવામાં એક વિધાર્થી ઊભો થયો અને કહ્યું,

વિધાર્થી: હા સાહેબ..

પ્રોફેસર: તો પછી શેતાનને કોણે  બનાવ્યો ? શું શેતાનને પણ પ્રભુએ જ બનાવ્યો છે?

આ સાંભળીને એ વિધાર્થી એકદમ શાંત થઈ ગયો અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી,

સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ?  પ્રોફેસરે સમંતિ આપી.

વિધાર્થી: શું ઠંડી જેવું કાઈં હોય છે ?

પ્રોફેસર: ચોક્કસ હોય છે..

વિધાર્થી: માફ કરજો સાહેબ, તમારો જવાબ ખોટો છે કારણકે ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે. 

વિધાર્થીએ બીજો પ્રશ્ન કર્યો કે શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ? 

પ્રોફેસર: હાસ્તો ધરાવે છે...

વિધાર્થી: સાહેબ તમે આ વખતે પણ ખોટા છો. ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી. ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે. જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો  કરતા નથી. તેવી જ રીતે શેતાનની કોઇ હયાતી જ નથી એ તો પ્રેમ , વિશ્વાસ, અને  ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે. જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ શેતાનનો  અનુભવ થાય છે. પ્રોફેસર આ વિવરણ સાંભળીને અચંબિત થઈ ગયા અને એ વિધાર્થીને શાબાશી આપી. આવો  સુંદર અને સચોટ જવાબ આપનાર  વિધાર્થીનુ નામ હતું સ્વામી વીવેકાનંદ.

        આમ, કેળવણી અને ગણતર એટલે જ સાચું શિક્ષણ અને એ જ જીવનને સાચો માર્ગ બતાવી શકે છે. આપણે વાંચતાં અને વિચારતા હોઈએ છીએ કે સાચી કેળવણી જીવનને ખોટા વહેમ અને અંધશ્રદ્ધાઓ માંથી મુક્ત કરાવે છે. આપણા વિવેકાનંદ પણ એમના જીવનમાં સતત ને સતત એ જ વાતનો બોધ આપતા રહ્યા છે. સાચું શિક્ષણ માનવ-માનવ વચ્ચેના બેદભાવોને દૂર કરે છે અને સ્વામી વિવેકાનંદ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિની સાચી ગરિમા સમગ્ર વિશ્વમાં ફેલાય એ માટે સતત પ્રવાસ ખેડતા રહેતા.

No comments:

Post a Comment