Sunday, February 5, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૨

 

        "કુટુંબમાં ઘણાં સગાંઓનો દુરાગ્રહ હોય કે તેમની પૂર્વધારણા પ્રમાણે જ પરિવારે જીવવાનું, ત્યારે તે પરિસ્થિતિને કઇ રીતે હેન્ડલ કરવી? એવો કોઈ માર્ગ છે કે જ્યાં સમજાવી શકીએ કે એમનું વર્તન બધા માટે ફાયદાકારક નથી?"  એનો એક માત્ર રસ્તો સંવાદનો છે. સફળ સંવાદ માટે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે: તેમના દુરાગ્રહોથી તમને અને બીજાઓને કેવા અનુભવો થયા છે તેનાં તથ્યો એકઠાં કરો. આવા સંવાદો લાગણીઓની વાતોથી સફળ ન થાય, કારણ કે તેમાં ઉકળાટ ઠાલવવા સિવાય કંઈ ન થાય અને છેવટે બ્લેમ ગેઇમ જ રમાય છે. તેના બદલે નક્કર વાતો કરો, નક્કર ઉદાહરણો આપો. તાર્કિક રીતે સમજાવો. 

        સામેવાળી વ્યક્તિને એવું લાગવું જોઈએ કે એ જો એના દુરાગ્રહોમાં પરિવર્તન લાવે, તો તેમાં તેનો ખુદનો પણ કેટલો લાભ છે. આવો સંવાદ સર્વેના હિતમાં છે તેવી ભાવના જન્મે તે ઇચ્છનીય છે. તેને તમારું અંગત યુદ્ધ બનાવી દો, તો સામીવાળી વ્યક્તિ ઔર જક્કી થઈ જશે. એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે પણ એવું જ કરીએ. આ છેલ્લો મુદ્દો વધુ સમજવા જેવો છે. ધારો કે, તેની જગ્યાએ આપણે હોઈએ, તો કોઈ કુટુંબીજને એ મુદ્દા પર આપણી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? એ સવાલના જવાબમાં ઉપરના પ્રશ્નનો ઉત્તર છે.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

No comments:

Post a Comment