Sunday, February 12, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૪

 

        પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફાયનમેનનું એક ક્લાસિક વિધાન છે. *"મને નાનપણથી જ એ ખબર પડી ગઈ હતી કે કોઈ ચીજનું નામ જાણી લઈએ એટલે એ ચીજને જાણી ગયા એવું ન કહેવાય."* ફાયનમેન નાના હતા ત્યારે તેમના પિતા મેલવિલેની આંગળી પકડીને ચાલવા જતા. રસ્તામાં તેમને પક્ષીઓ જોવા મળતાં. એકવાર તેમણે એક પક્ષી જોઈને તેનું નામ પૂછ્યું. પિતાએ કહ્યું કે," ઈંગ્લીશમાં તેને સ્વોલો કહે છે, ફ્રેન્ચ લોકો તેને લેસ હિરોન્ડેલે કહે છે, જર્મનીમાં તેનું નામ ડિસ શોલ્વ છે. તને એનાં નામ તો ખબર પડી ગઈ, પણ પક્ષી વિશે કશી ખબર નહી પડે." મોટા થઈને ફાયનમેને કોઈ ચીજની જ જાણકારી મેળવવાની ટેકનિક વિકસાવી હતી: 

1. કશું નવું શીખો ત્યારે તેનું નામ નહીં, તેનો કોન્સેપ્ટ (તે કેવી રીતે કામ કરે છે તે) શીખો.

2. પછી તેને એવી રીતે સરળ શબ્દોમાં મુકો કે 10 વર્ષના બાળકને પણ સમજાઈ જાય. 

3. હવે તમે તમારી સમજાવટમાં ખામી શોધો. પહેલા પ્રયાસમાં કદાચ નહીં દેખાય. પાછા મૂળ ચીજમાં જાવ અને વધુ સારી રીતે તેને સમજો.

4. હવે, તેને વધુ સરળ બનાવો અને ફરી પ્રયાસ કરો.

ફાયનમેનના પિતાએ કહેલું, "જેને ઊંઘ શુ કહેવાય તે ખબર ન હોય, તેવા મંગળવાસીઓને તું ઊંઘ કેવી રીતે સમજાવીશ?"

No comments:

Post a Comment