"નૈતિક મુલ્યો ઘસાતાં જાય છે. તે કેવી રીતે પાછાં સ્થાપિત થશે?"
ભારતમાં નૈતિકનાં મુખ્ય 5 કારણો છે..
1. હરીફાઈની વૃતિમાં વધારો.
2. ભણતરમાંથી ગણતરનું ગાયબ થઈ જવું.
3. સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનું તૂટવું.
4. ભ્રષ્ટાચારનું નોર્મલ થઈ જવું.
5. રાજકારણનું અપરાધીકરણ.
આ પાંચે સમસ્યાઓનું મૂળ શિક્ષણ, ગરીબી, બેરોજગારી, વસ્તીવધારો અને વિકાસનું આયાતી મૂડીવાદી મોડેલ છે. એ દિશામાં નક્કર અને સૂઝબૂઝથી કામ થાય તો, સમાજનું અધ: પતન અટકાવી શકાય. એવું થતું લાગતું નથી.
The History of the Decline and Fall of the Roman Empire નામના ગ્રંથમાં ઇતિહાસકાર એડવર્ડ ગિબ્બોને, રોમન સમાજના પતનનાં 5 કારણો આપ્યાં હતાં:
1. સમૃદ્ધ થવાને બદલે બદલે સંપતિનું પ્રદર્શન કરવાની વૃત્તિમાં વધારો થયો.
2. સેક્સ પ્રત્યેની ઘેલછા અને સેક્સની વિકૃતિમાં વધારો થયો.
3. કળા-સાહિત્ય સર્જનાત્મક બનવાને બદલે સનસનીખેજ બની ગયું.
4. ગરીબો અને અમીરો વચ્ચે ખાઈ વધતી ગઈ.
5. રાજ્યની દયા-માયા પર જીવવાની વૃતિમાં વધારો થયો.
( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )
No comments:
Post a Comment