Sunday, February 19, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૩

 

"નૈતિક મુલ્યો ઘસાતાં જાય છે. તે કેવી રીતે પાછાં સ્થાપિત થશે?"

ભારતમાં નૈતિકનાં મુખ્ય 5 કારણો છે..

1. હરીફાઈની વૃતિમાં વધારો.

2. ભણતરમાંથી ગણતરનું ગાયબ થઈ જવું.

3. સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનું તૂટવું.

4. ભ્રષ્ટાચારનું નોર્મલ થઈ જવું.

5. રાજકારણનું અપરાધીકરણ.

        આ પાંચે સમસ્યાઓનું મૂળ શિક્ષણ, ગરીબી, બેરોજગારી, વસ્તીવધારો અને વિકાસનું આયાતી મૂડીવાદી મોડેલ છે. એ દિશામાં નક્કર અને સૂઝબૂઝથી કામ થાય તો, સમાજનું અધ: પતન અટકાવી શકાય. એવું થતું લાગતું નથી.

      The History of the Decline and Fall of the Roman Empire નામના ગ્રંથમાં ઇતિહાસકાર એડવર્ડ ગિબ્બોને, રોમન સમાજના પતનનાં 5 કારણો આપ્યાં હતાં:

1. સમૃદ્ધ થવાને બદલે બદલે સંપતિનું પ્રદર્શન કરવાની વૃત્તિમાં વધારો થયો.

2. સેક્સ પ્રત્યેની ઘેલછા અને સેક્સની વિકૃતિમાં વધારો થયો.

3. કળા-સાહિત્ય સર્જનાત્મક બનવાને બદલે સનસનીખેજ બની ગયું.

4. ગરીબો અને અમીરો વચ્ચે ખાઈ વધતી ગઈ.

5. રાજ્યની દયા-માયા પર જીવવાની વૃતિમાં વધારો થયો.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

No comments:

Post a Comment