Sunday, November 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૨

        

        કોઈ આપણને પોતાની અંગત વાત કરે ત્યારે તે આપણાં પર વિશ્વાસ મૂકીને એ વાત કરતા હોય, આવી વાતને પોતાના સુધી જ રાખવી ખુબ જરૂરી છે. બીજાની ગરિમા સાચવવી એ આપણા પોતાના મૂલ્યોનું પ્રતિનિધિત્વ છે. જે લોકો પોતાના જીવન જેટલું જ બીજા ના જીવનને મહત્વ આપતા હોય તે હંમેશા બીજાની અંગત વાતો પોતા સુધીજ રાખતા હોય છે. 

        કેટલીકવાર, આપણે કોઈ વ્યક્તિ વિશે કંઈક જાણતા હોઈએ જે તેમણે બીજા કોઈ પાસે જાહેર કર્યું ના હોય. ખબર હોય કે આ વાત કોઈને કહેવાની નથી છતાં  જાણતા અજાણતા બીજા સુધી પહોંચાડી દેતા હોય છે. ઘણીવાર તો ફક્ત પોતાના રોમાંચ માટે કોઈની અંગત વાત  સમાચારની માફક બધે ફેરવી દેતા હોય. જયારે આવુ કોઇ કરે ત્યારે તેઓ એ ભૂલી જાય છે કે આ કરવાથી કોઈકનું આત્માસન્માન ઘવાય છે અને સાથે તેમનું જીવન પણ મુશ્કેલ બનાવી રહ્યા છે. કોઈ વ્યક્તિની અંગત વાત જયારે જાહેર થાય ત્યારે તેમની સંવેદનશીલતા પર ઘા લાગે છે. અને તેઓ ભાવનાત્મક રીતે ખુલ્લા પડી ગયા નો અનુભવ કરે છે જેનાથી તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.

        દરેક વ્યક્તિની જીવનકથાનુ મૂલ્ય સાચવવુ જોઈએ.  બીજાના આત્મસન્માનને જયારે આપણે જાળવીએ છીએ ત્યારે આપણે આપણા મૂલ્યો માં ઉમેરો કરીએ છીએ.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment