Thursday, November 10, 2022

નાનાભાઈ ભટ્ટ વંદના

 

ૠષિતુલ્યકેળવણીકારનાનાભાઈભટ્ટની જન્મજયંતિ નિમિત્તે એમના ચરણોમાં શત શત વંદન...

            ગુજરાત અને સમગ્ર ભારત સહિત વિશ્વમાં બાળ-કેળવણી અને કૌશલ્ય વર્ધક કેળવણી જેવા ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન કરનાર આપણા ગરવા ગુજરાતી સ્વ શ્રી નૃસિંહપ્રસાદ ભટ્ટ કે જેઓ નાનાભાઈ ના નામથી ઓળખાય છે, આજે એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમના ચરણોમાં શત શત વંદન કરીએ. પોતાનું સમગ્ર જીવન જેમણે શિક્ષણ જેવા ક્ષેત્રમાં સમર્પિત કરીને વર્ષો પહેલા છાત્રાલય વાળી સંસ્થાઓ ઊભી કરી અને એ સંસ્થાઓને ઉમદા આદર્શ સાથે નિષ્ઠાપૂર્વક ચલાવી. ભાવનગર શહેરમાં આવેલી દક્ષિણામૂર્તિ વિધાર્થી વિધાભવન, ત્યારબાદ આંબલા ખાતે ગ્રામ-દક્ષિણામૂર્તિ અને છેલ્લે ઉંમરના સાતમા દાયકામાં જ્યારે સામાન્યપણે માણસો આરામ, વિશ્રામ અને ભક્તિભાવ તરફ નજર ફેરવે છે, એવા આ પડાવમાં નાનાભાઈ ભટ્ટ સણોસરાની પવિત્ર ધરતી પર લોકભારતી ગ્રામ વિધાપીઠની સ્થાપના કરે છે. મનુભાઈ પંચોળી જેવા સમર્થ કેળવણીકારને સાથે જોડીને નાનાભાઈ સણોસરા ખાતે ગાંધીજીની નઈ-તાલીમને સાક્ષાત સાકર કરી બતાવે છે. આ સંસ્થા આજે પણ ૭૫ વર્ષ પછી અડીખમ ઊભી છે, નાનાભાઈના સ્વપ્નોને સાકર કરતી. આવા પ્રયત્નોને વંદન અને પ્રયત્ન કરનારને શત શત નમન.

♀      નાનાભાઈ ભટ્ટના કેળવણી વિષયક વિચારો

♂      આપણાથી કોઇને પણ ભય રહે તો આપણે કેળવણીના ક્ષેત્રમાં રહેવાને લાયક નથી, આપણી ઉપાસના                   તો નિર્ભયતા પેદા કરવાની છે.
♂      પરિગ્રહ માણસને પાડતો નથી પણ પરિગ્રહમાં રહેલી આસક્તિ માણસને પાડે છે.

♂      જીવન એટલે જ કેળવણી અને કેળવણી એટલે જ જીવન.

♂      શિક્ષનો સાચો હેતુ તો ભણનારને સમાજ સાથે જોડવાનો છે.

♂      બાળકો તો રમશે, કૂદશે અને તોફાન પણ કરશે, પણ એટલા માત્રથી એમને મારવા યોગ્ય નથી.

♂      આપણા શિક્ષણશાસ્ત્રીઓએ એમના દર્શનને સ્વતંત્ર રીતે અને વૈજ્ઞાનિક પદ્ધતિની તટસ્થતા સાથે                            મૂલવવું જોઈએ.

♂      વિધાને શીલ અને ચારિત્ર્ય સાથે સંબંધ ન હોય તો વિધા વાંજણી રહે છે. શીલ વિના તો વિધા લેનાર                           માણસ બ્રહ્મરાક્ષસ બને છે.

♂       શિક્ષકની ચાર સંપત્તિઓ છે : શીલ, સદવિધા, વિધાર્થી પર પ્રેમ અને ઉત્પાદક શ્રમ.


    ભારતમાં અધ્યયન અને અધ્યાપનનો સનાતન આદર્શને જીવતો રાખવાનો ભાર જેમના શિરે હતો અને જેઓ પ્રાચીન આદર્શ અને નવી આશાઓ એમ બંનેનો સમન્વય કરી જાણતા હતા તેવા સમર્થ શિક્ષણ-શાસ્ત્રીઓમાંના એક પ્રતિનિધિ નાનાભાઈ ભટ્ટ હતા.-કાકાસાહેબ કાલેલકર

(સંદર્ભ-કેળવણીની પગદંડી, લેખક-નાનાભાઈ ભટ્ટ માંથી સાભાર)

No comments:

Post a Comment