ૠષિતુલ્યકેળવણીકારનાનાભાઈભટ્ટની જન્મજયંતિ નિમિત્તે એમના ચરણોમાં શત શત વંદન...
ગુજરાત અને સમગ્ર ભારત સહિત વિશ્વમાં બાળ-કેળવણી અને કૌશલ્ય વર્ધક કેળવણી જેવા ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન કરનાર આપણા ગરવા ગુજરાતી સ્વ શ્રી નૃસિંહપ્રસાદ ભટ્ટ કે જેઓ નાનાભાઈ ના નામથી ઓળખાય છે, આજે એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમના ચરણોમાં શત શત વંદન કરીએ. પોતાનું સમગ્ર જીવન જેમણે શિક્ષણ જેવા ક્ષેત્રમાં સમર્પિત કરીને વર્ષો પહેલા છાત્રાલય વાળી સંસ્થાઓ ઊભી કરી અને એ સંસ્થાઓને ઉમદા આદર્શ સાથે નિષ્ઠાપૂર્વક ચલાવી. ભાવનગર શહેરમાં આવેલી દક્ષિણામૂર્તિ વિધાર્થી વિધાભવન, ત્યારબાદ આંબલા ખાતે ગ્રામ-દક્ષિણામૂર્તિ અને છેલ્લે ઉંમરના સાતમા દાયકામાં જ્યારે સામાન્યપણે માણસો આરામ, વિશ્રામ અને ભક્તિભાવ તરફ નજર ફેરવે છે, એવા આ પડાવમાં નાનાભાઈ ભટ્ટ સણોસરાની પવિત્ર ધરતી પર લોકભારતી ગ્રામ વિધાપીઠની સ્થાપના કરે છે. મનુભાઈ પંચોળી જેવા સમર્થ કેળવણીકારને સાથે જોડીને નાનાભાઈ સણોસરા ખાતે ગાંધીજીની નઈ-તાલીમને સાક્ષાત સાકર કરી બતાવે છે. આ સંસ્થા આજે પણ ૭૫ વર્ષ પછી અડીખમ ઊભી છે, નાનાભાઈના સ્વપ્નોને સાકર કરતી. આવા પ્રયત્નોને વંદન અને પ્રયત્ન કરનારને શત શત નમન.








No comments:
Post a Comment