Sunday, November 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૦

        સાચું ક્યારેક ક્યારેક એટલું કડવું હોય છે ને કે જો તમે ભૂલથી બોલી જાઓ તો કેટલાક સંબંધ તૂટી જાય છે અથવા બગડી જાય છે અને જો એ સાચું ના કહેવામાં આવે તો મન ઘૂંટાય છે..મન માં દબાયેલી વાતો ઝેર નું રૂપ ધારણ કરે છે અને સ્વયં ને મારવા આવે છે.. રોજ થોડું થોડું મરવું એના કરતા એ સંબંધ ને છોડી દેવો..કેટલીક વખત આપણને આવા સવાલો નો સામનો કરવો પડે છે.

        પણ જો સાચું બોલવા માત્ર થી જે આપડી જોડે સંબંધ તોડી નાખે તો હકીકત માં સંબંધ જ જુઠ્ઠો ને ખોટો હોય છે. જે સંબંધ માત્ર સાચું બોલવા થી તૂટી થઈ જાય તો એ જુઠ ની બુનિયાદ પર ટકેલો સંબંધ કેટલો અંશે વ્યાજબી ગણાય..

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

No comments:

Post a Comment