ગઈકાલ માં એક વિધાન હતું. "મિત્રોને મિત્રતા માટે રાખવા, પણ કામ સ્કિલ્ડ અને સક્ષમ લોકો સાથે જ કરવું." એક મિત્ર પૂછે છે કે આવું કેમ? એમાં એવો ભાવ અભિપ્રેત છે કે, મિત્રતા અને કામ જયારે ભેગાં થાય ત્યારે નિષ્પક્ષતા જોખમમાં મુકાઈ જાય. કોઈપણ કામમાં સફળ થવા માટે, એ કામ બરાબર થઇ રહ્યું છે કે નહીં, આપણે કોઈ ભૂલ કરી રહ્યા છીએ કે નહીં, એ કામમાં સહયોગ આપી રહેલા લોકો તેને યોગ્ય રીતે પાર પાડી શકશે કે નહીં તેની સમય-સમય પર તટસ્થ સમીક્ષા કરતા પડે. મિત્રતા હોવાના કારણે એવી પ્રામાણિક સમીક્ષા મુશ્કેલ થઈ જાય છે.
કાં તો આપણે મિત્રતાની લાગણીમાં તણાઈને નીરક્ષીર વિવેક ગુમાવી દઈએ, અથવા, બે આંખની શરમના કારણે મિત્રની ભૂલ દેખાતી હોય તો પણ બતાવી ન શકીએ. બેઝિકલી, એમાં હિતોનો ટકરાવ ઉભો થાય; એક તરફ મિત્રતા છે અને બીજી તરફ કામ. કોનું રક્ષણ કરવું? સલીમ ખાન અને જાવેદ અખ્તર બંને કુશળ હતાં, પરંતુ 15 વર્ષ પછી કડવાહટ સાથે છૂટા પડ્યા તેમાં દોસ્તી આડી આવી હતી. મિત્રતા બાંધછોડ પર નિર્ભર હોય. કામમાં જે સૌથી શ્રેષ્ઠ હોય તેની જ પ્રાથમિકતા હોય. મિત્રતાનો આધાર લાગણીઓ હોય, કામ લક્ષ્ય આધારિત હોય. મિત્રતામાં "સારું" લાગે તેવું કરવાનું હોય,કામમાં "સાચું" હોય તે કરવાનું હોય છે.
(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)
No comments:
Post a Comment