મને લખવાનું ગમે છે એટલે હું લખું છું. મને શબ્દનું સૌંદર્ય આકર્ષે છે, અભિવ્યક્તિનું સૌંદર્ય આકર્ષે છે, અને માનવ સંબંધોનું સૌન્દર્ય પણ આકર્ષે છે. એ બધાનું નિરૂપણ કરવાનું મને ગમે છે એટલે હું લખું છું. જોકે હમણાં લખવાનું ઓછું થઈ ગયું છે. પહેલા તો મોટાભાગના લખાણ સંપાદકોના આમંત્રણથી લખાતા. એની સાથે સાથે અંગત ક્ષણો દરમિયાન આવતા નિજ આનંદ માટે લખું છું. પણ વાચકોમાં સંવેદનશીલતા વધે, સૌંદર્યબોધ, પ્રકૃતિસૌંદર્ય વિચાર અને વ્યવહારનું સૌંદર્ય તથા માનવ સંબંધોનું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ કેળવાય તે મુખ્ય હેતુ છે. કોઈપણ જાતના લેબલ વગર મનુષ્યનો મનુષ્ય માટેનો પ્રેમ વધે એવી અંતરની ઇચ્છા છે બાકી તો બસ જીવાતા જીવનમાં આવતા પ્રસંગોએ આવતી મોજની આડઅસર છે મારી લેખનયાત્રા -કુંદનીકાબેન કાપડિયા. આવા ઉત્તમ શબ્દો સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં અમોલ પ્રદાન કરનાર કુન્દનિકાબેન જીવનભર ઉત્તમ સાહિત્યનો રસાસ્વાદ કરાવતા રહ્યા. એમના પુસ્તકો ઘણા બધા વાચકો માટે જીવનભરનું યાદગાર સંભારણું બની રહ્યા છે. તો આવી વાતો જાણવા માટે આપ સૌ વાચકમિત્રો પણ ઉત્તમ પુસ્તકો વાચતા રહો એવી અભ્યર્થના સાથે પ્રસ્તુત છે વાચનયાત્રામાં આહુતિનો મણકો ચોથો.......
૧. અર્ધી સદીની વાચનયાત્રા ભાગ-૩ - સંપાદક - મહેન્દ્રભાઈ મેઘાણી
૨. યુગપુરુષ વિવેકાનંદ ( ભાગ-૧ અને ૨ ) - સ્વામી ગંભીરાનંદ
૩. તડ ને ફડ - નગીનદાસ સંઘવી
૪. પારિવારિક જીવન વિશેની શીખ - રોબીન શર્મા
૫. કેક્ટસ ફ્લાવર - ગુણવંત શાહ
૬. સાયન્સ સમંદર - જય વસાવડા
૭. ભારતીય દર્શનો - સ્વામી સચ્ચિદાનંદ
૮. જીવન રાહ બતાવે રામાયણ - મોરારિબાપુ
૯. શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ - મુળશંકરભાઈ ભટ્ટ
૧૦. દામ્પત્ય માધુર્ય - ગિજુભાઈ ભરાડ
૧૧. ધ રામબાઈ - જીતેશ દોંગા
૧૨. ગાઈડ (ક્લાસિક નવલકથા ) - આર.કે. નારાયણ અનુ.હરેશભાઈ ધોળકિયા
૧૩. માતૃભાષાનું મહિમાગાન - ભદ્રાયુ વછરાજાની
૧૪. સાત પગલા આકાશમાં - કુન્દનિકાબેન કાપડિયા
૧૫. વિદાયવેળાએ - ખલિલ જિબ્રાન અનુ.-કીશોરલાલ મશરૂવાળા
૧૬. ફીક્શનાલય - વિશાલ ભાદાણી
૧૭. આઈ લવ યું - કાજલ ઓઝા વૈધ
૧૮. અકુપાર - ધ્રુવ ભટ્ટ
૧૯. રૂખડ મીમાંસા (સોક્રેટીસ ગાથા ) - કે. કે.ખખ્ખર
૨૦. સઆદત હસન મન્ટોની વાર્તાઓ- મન્ટો અનુ. શરીફાબેન વીજળીવાળા
૨૨. પડઘા ડૂબી ગયા - ચંદ્રકાંત બક્ષી
૨૩. ઇશ્ક - સુભાષ ભટ્ટ
( આવતા મહિનાની તારીખ ૨૩-૫-૨૦૨૪ ને ગુરુવારે વાચનયાત્રામાં પાંચમી આહુતિ આપવામાં આવશે. )
No comments:
Post a Comment