Sunday, February 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૨

       


         આપણે આપણી આખી જિંદગી મગજના સહારે જીવીએ છીએ. આ જટિલ જગતમાં સારી રીતે જીવવા માટે આપણી પાસે એક માત્ર શસ્ત્ર મગજ છે. જગત સાથે આપણું મોટાભાગનું ઇન્ટરેક્શન મગજના માધ્યમથી થાય છે. આપણી પાંચે ઇન્દ્રિયો 24 કલાક જગતની ઇન્ફોર્મેશન મગજને પ્રોસેસ કરવા પહોંચાડે છે. 

        આ કારણથી મન હોંશિયાર અને કાર્યક્ષમ હોવું જરૂરી હોય છે. આપણે જો મગજને ટ્રેનિંગ આપીએ, તો તે આપણા કંટ્રોલમાં રહે, નહીં તો સમાજ તેને ચલાવે. એટલે જ બહુ લોકોના જીવનમાં સમાજ ઘૂસેલો હોય છે. આપણે જાતે જો આપણું બ્રેઇન વોશ ના કરીએ, તો બીજા લોકો એ કરશે. બ્રેઇન વોશ એ મગજની ટ્રેનિંગ છે.

No comments:

Post a Comment