Sunday, February 20, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૩

મોટાભાગના લોકો ખુદને બદલી શકતા નથી તેનું કારણ એ છે કે તેમને અંધશ્રદ્ધાની હદે ખુદ પર વિશ્વાસ હોય છે. બદલાવ માટેની પહેલી શરત એ છે કે મને એ સવાલ થવો જોઈએ કે હું  જે કરું છું તે કેમ કરું છું. તેના જવાબમાંથી મને મારા અમુક પ્રકારના રિપેટિટિવ વ્યવહાર-વિચારની યોગ્યતા કે આયોગ્યતાની સમજણ આવે. આપણે જો જાતને 'કેમ?' સવાલ પૂછવા માટે ગલ્લાતલ્લા કરીએ, તો પછી 'કેમ નહીં?' એ સવાલ પણ પૂછવાનું અઘરું પડે. 'કેમ નહીં?' એ નવી શરૂઆતનો પાયો છે, હું આવું કેમ ના કરું? હું તેવું કેમ ના વિચારું? 'કેમ?' અને 'કેમ નહીં?' એ બંને સવાલો નવી જિંદગી માટેનો પાયો છે, પણ આપણે વિચારો અને વ્યવહારની એવી હેબિટના ગુલામ હોઈએ છીએ કે આવા સવાલો પૂછતાં નથી. એટલા માટે પરિવર્તન હંમેશાં આકરું હોય છે. આપણે નવા વ્યવહાર-વિચારની અજાણી ભૂમિ પર પગ મૂકવાને બદલે આદતવશ વ્યવહાર-વિચારની પરિચિત ભૂમિ પર ખોડાયેલા રહીએ છીએ, પછી ભલે કે ગમે તેટલું વિધ્વંસક હોય.

No comments:

Post a Comment