Sunday, February 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૪

આપણે જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ સકારાત્મક યોગદાન ના આપી શકીએ, તો તેની પાસે આપણા માટે સમય ના હોય. આપણી વાતમાં જો વેલ્યુ નહીં હોય, તો આપણને સાંભળવા કોઈ ના રોકાય. ખાલી આપણા સંતાનો કે પેરેન્ટ્સ જ આપણને ચલાવી લે, અને એમાંય ગેરંટી તો નથી જ કે તેઓ પણ એક દિવસ મ્હો ફેરવી નહીં લે. બીજી વ્યક્તિ આપણને તેનો સમય અને એટેન્શન કેટલું આપે છે, તેનો સીધો સંબંધ આપણે શું ઓફર કરીએ છીએ તેના પર છે. કોઈનું એટેન્શન મેળવવા માટે આપણે તેની કિંમત આપવી પડે. એટેન્શન ખૈરાત નથી. ચાહે લેખક હોય કે સાધારણ વ્યક્તિ, આપણે બકવાસ સાંભળવા એટેન્શન નથી આપતા.


No comments:

Post a Comment