Tuesday, December 29, 2020

સર્જનની સરવાણી-૧૮

       

         એક દિવસ ચીનના સમ્રાટે મહાત્મા કન્ફ્યુશિયસને કહ્યું: મહાત્માજી ! દેવ કરતાં મહાન છે એવી વ્યક્તિ પાસે મને લઈ જાઓ. કન્ફ્યુશિયસ બોલ્યા : એક તો તમે જ પોતે એ મહાન વ્યક્તિ છો; કારણકે તમને સત્ય જાણવાની ઈચ્છા થઈ છે એટલે આપ મહાન છો.

        સમ્રાટ બોલ્યા : આમ હોય તો હું મારા કરતાં પણ વધારે મહાન વ્યક્તિને મળવા માગીશ અને એના દર્શન કરવા માગીશ. ઘણીવાર મહાન માણસો સંબંધી વાતો આપે મને કર છે, એટલે આપ માંને એમની પાસે લઈ જાઓ. ત્યારે મહાત્મા કન્ફ્યુશિયસ થોડીવાર સમ્રાટ તરફ જોઈને બોલ્યા કે : અહીંથી ઊઠીને આપે ક્યાંય જવાની જરૂર નથી, કારણકે તે વ્યક્તિ હું છું. હું સત્ય ઉપર પ્રેમ રાખું છું એટલે હું તમારા કરતાં પણ મહાન વ્યક્તિ છું. 

        ફરીવાર સમ્રાટે કહ્યું કે તો પછી મારે આપણા બંને કરતાં પણ મહાન હોય એવી વ્યક્તિનાં દર્શન કરવા છે, આપણ ઘણીવાર અલગ-અલગ મહાત્માઓ વિષે વાત કરો છો, તો મને એમની પાસે લઈ જાઓ. આ સાંભળીને મહાત્માજી બોલ્યા કે : રાજન  અહીથી આપે ક્યાંય જવાની જરૂર નથી, કારણકે એ મહાન વ્યક્તિઓ આપણી આસપાસ જ છે. જુઓ પેલી ડોસી જેને સો વર્ષ થઈ ગયા છે, તેમછતાં તે કોદાળી લઈને કૂવો ખોદે છે. એને એ કૂવાની કોઈ જરૂર નથી, તેમછતાં તે પરમાર્થ માટે પોતાનું કાર્ય કરી રહી છે. એટલા માટે એ ડોસી આપણા બધા જ કરતાં પણ મહાન છે. 

સર્જનવાણી: હંમેશા પરમાર્થ કાજે જીવન જીવતા રહો, ઈશ્વર ખૂબ જ દયાળુ છે અને એની મહાનતા સાબિત કરવા માટે જ આપણને અહિયાં મોકલવામાં આવ્યા છે. 

No comments:

Post a Comment