Tuesday, November 17, 2020

સર્જનની સરવાણી-૧૨


        જીવન એટલે સતત સંઘર્ષ અને સાહસનો ચાલતો સિલસિલો. આ જીવનયાત્રામાં આપણાં મૂલ્યો અને આપણી પાત્રતા, વિનયમ વાણી અને વિવેકની સાથે માનવતા, સહાનુભૂતિ જેવા સદગુણો પણ આપણાં જીવનઘડતરમાં અગત્યનો ફાળો આપે છે. આપણે વારંવાર આ નવી પેઢીને કોસતા હોઈએ છીએ કે એમાં સંસ્કારો અને મર્યાદા જેવાં ગુણોનો અભાવ ચાલે છે પરંતુ સાવ એવું નથી. ઊગતી આ પેઢી જ નવા સમયમાં દરેકની વચ્ચે સંપ, સમાનતા અને ભાઇચારની ભાવના નિર્માણ કરવામાં અગત્યનો ભાગ ભજવશે. આ બાબત સમજાવતો ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ, 

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો. ફિનિશિંગ લાઈનથી ચાર થી પાંચ ફૂટની દુરી પર એ અટકી પડ્યો. એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણમાં અને ગેરસમાજમાં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝએ આ જોયું અને તેને લાગ્યુ કે આ કઈંક ગેરસમજ થઈ છે. તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે.

        પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી. આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો જ હતો. સ્પેનિશ રનર ઈવાન એ પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો. 

       આ રેસ હતી. અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ. ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર.

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું : " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત. તમે આજે ગોલ્ડ મેડલને હાથ થી જવા દીધો "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો : " મારુ સ્વ્પ્ન છે કે ક્યારેક તો  આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ પરંતુ બીજાને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા  ધક્કો મારે. એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી બંને વિજેતા બને. 

પત્રકારે ફરીથી પૂછ્યું :" તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત "

જવાબમાં ઈવાને  કહ્યું , " મેં એને જીતવા નથી દીધો, એ જીતતો જ હતો. આ રેસ એની હતી અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત " આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ? આવો જીતેલો ચંદ્રક હું મારી માં ને શી રીતે બતાવી શકું? હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "

      સંસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે. એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે. આમ થાય અને આમ ના જ થાયે. આ જ પુણ્ય અને પાપ છે. આ જ ધર્મ છે. આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે. જીતવું મહત્વ નું છે,  પણ કોઈપણ ભોગે જીતવુંએ માનસિક પંગુતા છે. કોઈનો યશ ચોરી લેવો, કોઈની સફળતા પોતાને નામ કરવી, બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે, કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે.

સર્જનવાણી :- નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ, આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...


No comments:

Post a Comment