Sunday, March 12, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૭

       

        દુષ્ટ વ્યક્તિ ક્યારેય ન સ્વીકારે કે તે દુષ્ટ છે. તેને બીજા દુષ્ટ નજર આવે, અને ખુદને ભલો માણસ માને. એવા લોકો અમુક વિચારો અને માન્યતાઓ ઘડે અને પછી તેમનાં કૃત્યોને એ વિચારો અને માન્યતાઓની દુહાઈ આપીને ઉચિત ઠેરવે. તેનાથી એવું સાબિત થાય કે તેમના ઈરાદા નેક છે, પણ જેમને વાંધો છે તે લોકો દુષ્ટ છે. એટલા માટે પૂર્વગ્રહો દુષ્ટતાનું જન્મસ્થાન છે. તમે એકવાર અમુક માન્યતાઓ કેળવી લો પછી, તેને સાચી માનીને મરવા-મારવા પર ઉતરી જવાનું આસાન થઈ જાય.

        ઇતિહાસમાં જેટલા અત્યાચાર થયા છે તે "નેક ઈરાદા"થી થયા છે. "હું તો તારા સારા માટે કરું છું" કહીને ઘણાં માબાપ સંતાનોને ત્રાસ આપતાં હોય છે. લીડરો પણ ગેરવ્યવહારને તેમના ઈરાદાથી ઉચિત ઠેરવે. શાંતિનો સંદેશ છતાં, ધર્મના નામે લોકો કેમ હિંસા કરે છે? જવાબ: હું તો તારા સારા માટે કરું છું. ગાંધીએ એટલે સાધન શુદ્ધિની વાત કરી હતી. વિચાર ગમે તેટલો શુભ હોય, આચાર દુષ્ટ હોય તો વિચાર નકામો.


No comments:

Post a Comment