Sunday, March 5, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૬

 

        રાજકારણ માનસિક-સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 2020માં, અમેરિકામાં એક સર્વેક્ષણમાં ખબર પડી હતી કે 40 ટકા લોકો રાજકારણના કારણે સ્ટ્રેસ અનુભવતા હતા, અને 5થી 8 કરોડ લોકોએ કહ્યું હતું કે તેમની થકાવટ, ચીડ, કમ્પલસિવ વર્તન અને ગુસ્સો રાજકારણને આભારી છે. ભારતમાં તો દોસ્ત દુશ્મન થઈ જાય છે અને આંત્યંતિક કિસ્સાઓમાં ખૂન પણ થઈ જાય છે.

        માણસ બુનિયાદ રૂપે લાગણીશીલ છે, અને રાજકારણ તેની બુદ્ધિશક્તિને બદલે લાગણીને પ્રભાવિત કરે છે. માણસ જ્યારે કોઈ રાજકીય  વિચારમાં યકીન રાખતો થઈ જાય, પછી તે તેમાં બાંધછોડ ન થવા દે કારણ કે, ધર્મની માફક, એ વિચાર તેની આઇડેન્ટિટી બની જાય છે. એ વિચાર પર જ્યારે હુમલો થાય ત્યારે, તેને તેની આઇડેન્ટિટી પર હુમલો થયો હોય તેવી લાગણી થાય, અને તે બમણા ઝનૂનથી તેનું રક્ષણ કરવા લાગી જાય. એટલે એમાં ભાગ્યે જ વિવેકબુદ્ધિથી તટસ્થ ચર્ચા કરવાની ગુંજાયેશ બચે છે. ભારત માટે અંબાણી સારા કે અદાણી એ પ્રશ્નમાં લાગણીસભર દલીલો ના થાય, પણ ભાજપ સારી કે કોંગ્રેસ એમાં ગાળાગાળી સુધ્ધાં થાય. રાજકારણ મતભેદ નહીં, મનભેદ જ ઉભો કરે છે.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

No comments:

Post a Comment