# પુસ્તકો મિત્રની જેમ પથદર્શક બની શકે છે.
# પુસ્તકો જીવનનો શ્વાસ અને વિશ્વાસ છે.
# પુસ્તકો આંખોની સાથે જીવનને પાંખો પણ આપે છે.
# જીવનની સંવેદના વહેતી કરે છે.
# રૂવાંડા ઊભા કરી દે તેવો રોમાંચ જીવનને આપે છે.
# જીવનને આધ્યાત્મિક બનાવે છે.
# બહારની દુનિયાને ભીતરમાં લઈ જાય છે.
# વાંચનથી સારું શીલ અને ચારિત્ર્ય નિર્માણ થાય છે.
# પુસ્તકો માનવતા જગાવે છે અને મનને શાંતિ આપે છે.
# પુસ્તકો માટે હું વર્ષમાં એક જોડી કપડામાં પણ ચલાવી શકું છું.
# જીવનને હકારાત્મક અભિગમ આપે છે અને ઊર્જામય બનાવે છે.
# પુસ્તકો વિનાનું ઘર એ મકાન માત્ર છે, મંદિર નથી.
# જીવનનો સાચો સંગાથી એટલે પુસ્તકો.
# પુસ્તકો વાંચવાથી આપણને ગુણવત્તાવાળી નીંદર આવે છે
# જીવનની પ્રાર્થના એટલે પુસ્તકોનું વાંચન.
સંહિતા : પુસ્તકો મળે તો હું નર્કમાં જવા માટે તૈયાર છું કારણ કે આ પુસ્તક ત્યાં પણ સ્વર્ગ સમાન આનંદ આપશે. -લોકમાન્ય ટિળક
No comments:
Post a Comment