Wednesday, April 22, 2020

પુસ્તકોની યશગાથાનું દર્શન

#  પુસ્તકો મિત્રની જેમ પથદર્શક બની શકે છે.

#  પુસ્તકો જીવનનો શ્વાસ અને વિશ્વાસ છે.

#  પુસ્તકો આંખોની સાથે જીવનને પાંખો પણ આપે છે. 

#  જીવનની સંવેદના વહેતી કરે છે. 

#  રૂવાંડા ઊભા કરી દે તેવો રોમાંચ જીવનને આપે છે. 

#  જીવનને આધ્યાત્મિક બનાવે છે. 

#  બહારની દુનિયાને ભીતરમાં લઈ જાય છે.

#  વાંચનથી સારું શીલ અને ચારિત્ર્ય નિર્માણ થાય છે.

#  પુસ્તકો માનવતા જગાવે છે અને મનને શાંતિ આપે છે.

#  પુસ્તકો માટે હું વર્ષમાં એક જોડી કપડામાં પણ ચલાવી શકું છું.

#  જીવનને હકારાત્મક અભિગમ આપે છે અને ઊર્જામય બનાવે છે.

#  પુસ્તકો વિનાનું ઘર એ મકાન માત્ર છે, મંદિર નથી.

#  જીવનનો સાચો સંગાથી એટલે પુસ્તકો.

#  પુસ્તકો વાંચવાથી આપણને ગુણવત્તાવાળી નીંદર આવે છે

#  જીવનની પ્રાર્થના એટલે પુસ્તકોનું વાંચન.

સંહિતા : પુસ્તકો મળે તો હું નર્કમાં જવા માટે તૈયાર છું કારણ કે આ પુસ્તક ત્યાં પણ સ્વર્ગ સમાન આનંદ આપશે. -લોકમાન્ય ટિળક

No comments:

Post a Comment