Sunday, March 22, 2026

વાચનયાત્રામાં આહુતિ-૦૩


                                                                                                                                                            

ઇન્સ્ટાગ્રામ મિત્ર પૂછે છે,

"આજે અઢળક માહિતી આપતાં માધ્યમો હોવા છતાં લાખો પુસ્તકો કેમ વેચાય-વંચાય છે?"

અમેરિકામાં Pew Research Center નામના ટ્રસ્ટે  વાચકોને પૂછ્યું હતું કે પુસ્તક વાંચવા માટેનું તમારું સૌથી મોટું કારણ શું હતું. એમાં જે તારણો નીકળ્યાં હતાં તે આ પ્રમાણે છે:

- ૨૬% લોકોએ કહ્યું કે તેમને નવું જ્ઞાન અને માહિતી મળે એટલે પુસ્તક વાંચ્યું હતું.

- ૧૫% લોકોએ કહ્યું કે વાસ્તવિકતાને ભૂલી જવા અને બીજી કોઈ દુનિયામાં ખોવાઈ જવા માટે તેમણે પુસ્તકનો સહારો લીધો હતો.  

- 12% લોકોને નાટ્યાત્મકતા અને સસ્પેન્સમાંથી મનોરંજન મળતું હતું.

- 12% લોકોને પુસ્તક વાંચતી વખતે આરામ મળતો હતો અને શાંતિ મહેસુસ થતી હતી.

- 6% લોકોને નવા વિષયોનો પરિચય થતો હતો. 

- 4% ટકા લોકો આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ થતા હતા અને તેમનું વિશ્વદર્શન (વર્લ્ડવ્યૂ) વિસ્તરતું હતું.

- 3% ટકા લોકોને પુસ્તકો તેમની માનસિક કસોટી લેતાં હતાં તે પસંદ હતું. 

- 2% લોકોને પુસ્તકનું ભૌતિક સ્વરૂપ- તેનો સ્પર્શ, તેની ગંધ- ગમતું હતું. 

        આ સર્વેમાં ઘણા લોકોએ “સ્ટ્રેસ દુર થાય છે, “રિલેક્સ થવાય છે,”અને “મન શાંત થાય છે” જેવાં વિધાનો કર્યા હતાં. આજે અહી ફરીવાર આપના માટે હું વાંચવા જેવાં ૨૩ ઉત્તમ પુસ્તકોની યાદી આપું. અહીં ક્લાસિકની સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત વિશ્વની મોટાભાગની ભાષાઓમાં છપાયેલા વિવિધતાસભર પુસ્તકોનાં નામ આપ્યાં છે. આ બધાં જ પુસ્તકો, વૈશ્વિક સમાજનો એક એવો ચહેરો પેશ કરે છે, જે કદાચ બીજી ભાષામાં છૂટી ગયો છે. બધા જ પુસ્તકો મસ્ટ રીડ છે.

૧. અરધી સદીની વાચનયાત્રા ભાગ : ૨-સંપાદક-મહેન્દ્રભાઈ મેઘાણી 

૨. સત્યના પ્રયોગો-મહાત્મા ગાંધીજી 

૩. મહામાનવ મહાવીર-ગુણવંતભાઈ શાહ 

૪. પોલીએના-એલીનોર પૉર્ટર 

૫. વાણી તેવું વર્તન-ફાધર વાલેસ 

૬. એટોમીક હેબિટ-જેમ્સ ક્લિયર 

૭. ધ સિવિક કોડ-ગોરા. એન. ત્રિવેદી 

૮. તમે તમારા બાળકને ઓળખો-ડો. મોહનભાઈ પંચાલ 

૯. અંગદનો પગ-હરેશ ધોળકિયા 

૧૦. સપનાના સોદાગરો-રશ્મિ બંસલ 

૧૧. અમર ગુજરાતી ગઝલો : સંપાદક-રાજેશ વ્યાસ"મિસ્કીન"

૧૨. આનંદમય શિક્ષક કેમ થવાય?-દોલતભાઈ દેસાઈ 

૧૩. સોંસરી વાત-સ્વ. નગીનદાસ સંઘવી 

૧૪. સોક્રેટિસ એક્સપ્રેસ (અંગ્રેજીમાં)-એરિક વેઈનર 

૧૫. લાઈફલાઇન-જય વસાવડા 

૧૬. અગનપંખ-ડો. અબ્દુલ કલામ અનુવાદ-હરેશ ધોળકિયા 

૧૭. સાત લાઈન-રત્નવિજયસુંદરસૂરિજી મહારાજ સાહેબ 

૧૮. પ્રિયજન(ક્લાસિક નવલિકા)-વીનેશ અંતાણી 

૧૯. શ્યામની માં-સાને ગુરુજી અનુવાદ-અરુણા જાડેજા 

૨૦. જંગલ બુક-રુડીયાર્ડ કીપલીંગ, ગુજ અનુવાદ- સાધના નાયક દેસાઈ 

૨૧. શિક્ષણ રાહ બતાવે રામાયણ-મોરારી બાપુ 

૨૨. તમે જ તમારું અજવાળું-સુધા મૂર્તિ 

૨૩. યુગપુરુષ વિવેકાનંદ-કિશોર મકવાણા 


પુસ્તક સંહિતા :: પુસ્તકો મળે તો હું નર્કમાં જવા માટે તૈયાર છું કારણ કે આ પુસ્તક ત્યાં પણ સ્વર્ગ સમાન આનંદ આપશે. -લોકમાન્ય ટિળક

Sunday, February 22, 2026

વાચનયાત્રામાં આહુતિ-૦૨

        
       
        
         પવિત્ર સ્થાન એટલે એવું સ્થાન જ્યાં માણસને ભગવાનની ટપાલ મળે.એ ટપાલ મળે તે માટે બે બાબતો જરૂરી છે: મૌન અને એકાંત. ગુણવંત શાહનું આ વિધાન માણસને પોતાની જાત સાથે સમય વિતાવવાનો અનુરોધ તો કરે જ છે, પણ એ સાથે જ એક નવો માર્ગ બતાવે છે. એ માર્ગ એટલે પુસ્તક વાચન. વાચન માણસને વિચારવાન બનાવે છે. પુસ્તકો જીવનમાં પથદર્શક બની શકે છે. ઉત્તમ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે. આવા વાચનના પરિપાક સ્વરૂપે કેટલાક ઉત્તમ પુસ્તકોની યાદીનો બીજો મણકો આજે પ્રસ્તુત છે. 

૧. અરધી સદીની વાચન યાત્રા ભાગ-૧ -સંપાદક : મહેન્દ્રભાઈ મેઘાણી 

૨. સોક્રેટિસ (ક્લાસિક નવલકથા)-મનુભાઈ પંચોળી"દર્શક"

૩. પરોઢિયે કલરવ-ડો.ગુણવંત શાહ 

૪. એલ્કેમિસ્ટ-પોલો કોએલો 

૫. જય શ્રી કૃષ્ણ-જય વસાવડા 

૬. ધ સાયકોલોજી ઓફ મની-મોર્ગન હાઉઝેલ 

૭. સેપિયન્સ-યુવલ નોઆ હરારી 

૮. બેહદ બાની-સુભાષ ભટ્ટ
 
૯. મોર્નિંગ મંત્ર-ધ્વનિત ઠક્કર 

૧૦. હૈયું-મસ્તક-હાથ-ડો. ભદ્રાયુ વછરાજાની
 
૧૧. પાયાની કેળવણી-મહાત્મા ગાંધીજી

૧૨. અખેનાતન-ડો. આઈ. કે. વીજળીવાળા 

૧૩. રામકથા-ફાધર કામિલ બુલ્કે 

૧૪. સામ્યવાદનું સત્ય-સતિષચંદ્ર મિત્તલ 

૧૫. આપણી વાત-વર્ષા પાઠક 

૧૬. નાકોહસ-પુરુષોત્તમ અગ્રવાલ 

૧૭. શબ્દના સગા-રજનીકુમાર પંડયા 

૧૮. ઈન પ્રેઈઝ ઓફ વેસ્ટ ટાઈમ-એલન લાઈટમેન 

૧૯. રાષ્ટ્રવાદ-સ્વ. ભરત દવે 

૨૦. અથશ્રી-જીગ્નેશ અધ્યારુ 

૨૧. વાઇકિંગ-હરીશ નાયક (અપ્રાપ્ય હોવાથી મોટી લાઇબ્રેરીમાંથી લાવીને વાંચવી)

૨૨. ઊદયાસ્ત-નિમેશ. જ. પંડયા 

૨૩. દિવ્યચક્ષુ-રમણલાલ. વ. દેસાઈ 

આપની વાચનયાત્રા જ આપની આનંદયાત્રા બની રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
 


Thursday, January 22, 2026

વાચનયાત્રામાં આહુતિ-૦૧

       " મને લાગે છે કે આપણે એવા જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતાં હોઈએ તે પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારીને આપણને જાગ્રત ન કરી દેતું હોય તો આપણે તે શીદને વાંચીએ છીએ ભલા? આપણને તો એવા જ પુસ્તકોની જરૂર છે કે જે કોઈ મોટી હોનારત જેવી અસર આપના પર કરે, ઊંડી વેદનામાં આપણને ડૂબાડી દે, જેને આપણે આપણી જાત કરતા વધારે ચાહ્યું હોય તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવી માત્રથી દૂર દૂરના જંગલોમાં આપણને ડૂબાડી દે, પુસ્તક તો આપણી અંદરના થીજી ગયેલા હિમસાગરને કાપનાર કુહાડો હોવું જોઈએ. "

        મૂળે તો વર્તમાનના પ્રાગ શહેરમાં જન્મેલા ઉત્તમ નવલકથાકાર કાફકા એ લખેલા અને આપણા મહેન્દ્રભાઈ મેઘાણી અનુવાદિત અને પોતાના સંપાદિત પુસ્તક અરધી સદીની વાચનયાત્રા ભાગ-૧ માં સમાવિષ્ટ આ કૃતિ જાતે જ પુસ્તકોનો વૈભવ અને પુસ્તકોની તાકાતનું વર્ણન આપણી સમક્ષ કરે છે. ગુજરાતી ભાષામાં ઉત્તમ કક્ષા અને વૈવિધ્ય ધરાવતા પુસ્તકો લખાયા છે અને ગુજરાતી વાચકો એને હોંશે હોંશે વધાવે પણ છે ત્યારે આપણી આ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર નામની સર્જનભૂમિ પર વર્ષ-૨૦૨૩ થી એક નવી યાત્રા સ્વરૂપે દર મહિનાની ૨૩ તારીખે ઉત્તમ રસદાર અને પાણીદાર એવા અલગ અલગ ભાષાઓના વિવિધતાસભર ૨૩ પુસ્તકોની યાદી મૂકવામાં આવશે. આ યાદીમાં ભૂતકાળ અને વર્તમાન સમયના શ્રેષ્ઠ લેખકોના પુસ્તકો પસંદ કરીને એની યાદી મૂકવામાં આવશે. અમારો આ પ્રયાસ આપને ગમશે એવી જ અભિલાષા. આપની વાચનયાત્રા આપને આનંદ આપનારી બની રહે એવી શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે પ્રથમ મણકો.

૧.સૌરાષ્ટ્રની રસધાર-ઝવેરચંદ મેઘાણી

૨.ઝેર તો પીધા છે જાણી જાણી -મનુભાઈ પંચોળી

૩.મોતીચારો શ્રેણી(ભાગ ૧ થી ૯ )-ડો.આઈ.કે.વીજળીવાળા

૪.કાર્ડિયોગ્રામ-ડો.ગુણવંત શાહ

૫.રણમાં ખીલ્યું ગુલાબ-ડો.શરદ ઠાકર

૬.વિશ્વમાનવ-જીતેશ દોંગા

૭.જય હો-જય વસાવડા

૮.કૃષ્ણાયન-કાજલ ઓઝા વૈદ્ય

૯.ઓફ બીટ-અંકિત ત્રિવેદી

૧૦.અનહદબાની-સુભાષ ભટ્ટ

૧૧.પરમ સમીપે-કુન્દનિકા કાપડિયા 

૧૨.સાંઈ-ઈશા અંતરંગ પત્રોનું સંપાદન-મીનું ભટ્ટ અને વિમલ. વ. દવે 

૧૩.હાઉ ટુ ટોક ટુ એની વન-લાયલ લાઉડસ 

૧૪.અર્લી ઇન્ડિયન્સ-ટોની જોસેફ 

૧૫.એ વાત મને મંજૂર નથી-નાઝીર દેખૈયા 

૧૬.ગ્રીન લાઇટ્સ-મેથ્યુ મેકોનહે 

૧૭.ડાયલોગથી દેવભાષા-જય ઓઝા 

૧૮.મુસ્લિમસ અગેઈન્સ્ટ પાર્ટીશન ઓફ ઈન્ડિયા-શમસુલ ઈસ્લામ 

૧૯.ગુજરાતનું રાજકારણ મારી નજરે-અરવિંદ પટેલ 

૨૦.આંધળો યુગ-અનિરુદ્ધસિંહ ગોહિલ 

૨૧.રામાયણની અંતરયાત્રા-સ્વ. નગીનદસ સંઘવી 

૨૨.નવા વિચારો-સ્વામી સચ્ચિદાનંદ 

૨૩.આ ગર્લ હુ એટ બુક્સ-નીલાંજના રોય્ 

તા. ક : મૂળમાં તો આ વિચાર મારા પ્રિય લેખક જયભાઈ વસાવડાએ લખેલા પુસ્તક વેકેશન સ્ટેશન અને એમની ગુજરાત સમાચારમાં નિયમિત પ્રકાશિત થતી કોલમ અનાવૃત અને કેલિડોસ્કોપના આર્ટિકલો વાંચવાથી સૂજ્યો છે. એટલે જ જયભાઈએ ડિસેમ્બર માસની ૧૮ તારીખે પોતાના લેખમાં આપેલી યાદીમાં માંથી પણ કેટલાક પુસ્તકો અહીં સમાવ્યા છે. અમુક આગળની યાદીઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે. આમ તો આ શ્રેણી ૨૦૨૨ માં ખૂબ જ ઉત્સાહ સાથે શરુ કરી હતી પણ વ્યસ્તતાઓ વચ્ચે એક કે બે જ મણકાઓ શક્ય થવાથી આ વર્ષે ફરીવાર નવા ઉમંગ અને ઉત્સાહ સાથે તેમજ નવા જ શીર્ષક સાથે શરૂઆત કરી છે. અહિયાં માત્ર પુસ્તકોની યાદી જ મૂકવાનો ઉપક્રમ છે. આ પુસ્તકોની વિશેષતાઓ માટે તો જયભાઈની કોલમ, ફેસબુક પર પણ અમુક સાહિત્યના શોખીન મિત્રો પુસ્તક રિવ્યુ લખે છે ત્યાંથી, કોઈ બ્લોગ પરથી અને સૌથી ઉત્તમ રસ્તો છે, સીધા જ જઈને આ પુસ્તકનો જ સથવારો કરવો પડશે. તો જાણો. માણો અવનવા પુસ્તકો વિશે અને ખોવાઈ જાવ એક મજાનાં વિશ્વલોકમાં જ્યાં મળશે અનહદ અને અઢળક આનંદ જ આનંદ !!!!!! 

( પુસ્તક ફોટો સોર્સ : ગૂગલ )